મોરબીની નીલકંઠ રેસીડેન્સીમા પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી રાજકોટમાંથી અપહરણ કરાયેલ સગીરને શોધી કાઢીને આરોપીની કરાઇ ધરપકડ
SHARE
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી રાજકોટમાંથી અપહરણ કરાયેલ સગીરને શોધી કાઢીને આરોપીની કરાઇ ધરપકડ
રાજકોટ શહેરમાંથી ચાર માસ પહેલા સગીરવયની બાળાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને સગીરાને ભગાડી ગયેલા શખ્સને તેમજ સગીરને શોધવા માટે પોલીસ કવાયત કરી રહી હતી તેવામાં સગીરને ભગાડી જનાર આરોપીને પકડી પાડી ભોગબનનારને મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે.
મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાએ રાજકોટ શહેર બી ડીવીજન પોલીસ સ્ટેશને નોંધાયેલ આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ (અપહરણ) ના કામે આરોપી તથા ભોગબનનાર સગીર બન્ને મોરબી પીપળીયા ચાર રસ્તા ખાતે હાજર હોવાની માહીતી મળેલ હતી જે આધારે તપાસ કરતા એક યુવક તથા સગીરા મળી આવતા જેની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ ન આપતા સરકારના ઇ-ગુજકોપ અંતર્ગત સર્ચ કરાવતા મજકુર આરોપી જયેશભાઇ બચુભાઇ ગોગરા જાતે બોરીયા (ઉ.૨૩) રહે, ફડસર વાળો રાજકોટ શહેર જય જવાન જય કિશાન સોસાયટી જુના જકાત નાકા પાસેથી સગીરવયની છોકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી લઇ આવેલ હતો જેની રાજકોટ શહેર બી ડીવીજનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાના કામે આરોપીની ધરપકડ કરી હતી અને ભોગબનનારને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે રાજકોટ શહેર બી ડીવીજન પોલીસને સોપવામાં આવેલ છે.