મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી રાજકોટમાંથી અપહરણ કરાયેલ સગીરને શોધી કાઢીને આરોપીની કરાઇ ધરપકડ
મોરબી જીલ્લામાં શાંતી ભંગ થાય તેવી પોસ્ટો સોશ્યલ મીડિયામાં ન મૂકવા પોલીસની અપીલ
SHARE
મોરબી જીલ્લામાં શાંતી ભંગ થાય તેવી પોસ્ટો સોશ્યલ મીડિયામાં ન મૂકવા પોલીસની અપીલ
મોરબી જીલ્લામાં કોઈપણ વ્યક્તિએ શાંતી ભંગ કરે તેવી પોસ્ટો સોશ્યલ મીડિયામાં મુકબી નહી અને હાલમાં ધંધુકામાં હત્યાનો બનાવ બનેલ છે ત્યાર બાદ મોરબી જિલ્લાની શાંતિ અને સલામતી માટે હાલમાં જીલ્લામાં પોલીસ દ્વારા સોશ્યલ મીડિયા ઉપર સતત બાજ નઝર રાખવામાં આવી આ ને જો કોઈ આવું કૃત્ય કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
થોડા સમય અગાઉ અમદાવાદ જીલ્લાના ધંધુકામાં હત્યાનો બનાવ બનેલ છે જે બનાવ બાબતે અમુક આવારા તત્વો દ્વારા જાહેર સુલેહ તથા શાંતી ડહોળવા અને કોમ કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડીયા ઉપર ભડકાવ અને શાંતી ભંગ કરે તેવી પોસ્ટો મુકી જાહેર શાંતીને ડહોળવાનો પ્રયાસ કવરમાં આવતો હોય તેવું પોલીસને ધ્યાન ઉપર આવેલ છે જેથી કોઇ પણ વ્યકિત આવી ગેરકાયદેસર પ્રવૃતી કરશે અથવા કોઇપણ વ્યકિત મારફતે કરાવશે તો તેઓ વિરૂધ્ધ કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
હાલમાં મોરબી જીલ્લાના સાયબર સેલ તથા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્રારા વોટસએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટવીટર અને સ્નેપચેટ જેવી તમામ સોશ્યલ સાઇટસ ઉપર અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃતીઓ કરતા ઇસમો ઉપર સતત બાજ નઝર રાખવામાં આવી રહેલ છે અને જો કોઇ વ્યકિત આવી પ્રવૃતી કરતા માલુમ પડશે તો તેઓ વિરૂધ્ધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસે જનવ્યુ છે.