મોરબી જીલ્લામાં શાંતી ભંગ થાય તેવી પોસ્ટો સોશ્યલ મીડિયામાં ન મૂકવા પોલીસની અપીલ
મોરબીના મહેન્દ્રનગર ગામે વૈદિક હવન યોજાયો
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે વૈદિક હવન યોજાયો
મોરબીના મહેન્દ્રનગર ગામે રાષ્ટ્રભાવના સાથે વૈદિક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટંકારા ગુરુકુળના પૂર્વ પ્રધાનાચાર્ય વિદ્યાદેવજી દ્વારા વૈદિક હોમ હવન કરાવ્યો હતો અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ આયુર્વેદ, ખગોળશાસ્ત્ર અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠોમાં શીખવવામાં આવતી રાષ્ટ્રના મહત્વ અંગેની વિદ્યાનું જ્ઞાન આપવામાં આવ્યું હતુ આ તકે વિજય રાવલ, જયંતીભાઈ રૂપાલા, વૃક્ષપ્રેમી આંબાભાઈ, મહેશ ભોરણીયા, ગુણામામા સહિતના હાજર રહ્યા હતાં.