મોરબી નજીક લજાઇ ચોકડી પાસે કાર ચાલકે રાહદારી વૃદ્ધને હડફેટે લેતા હેમરેજ: ગુનો નોંધાયો
મોરબીના રવાપરથી જડેશ્વર સુધીનો બિસ્માર રોડ રીસરફેસ-પેચિંગ કરવાની માંગ
SHARE
મોરબીના રવાપરથી જડેશ્વર સુધીનો બિસ્માર રોડ રીસરફેસ-પેચિંગ કરવાની માંગ
મોરબીના રવાપરથી જડેશ્વર સુધીનો રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે ત્યારે તેના રીસરફેસ અને પેચિંગ કામ માટે મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કાંતિલાલ પડસુંબિયાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરી છે.
હાલમાં મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કાંતિલાલ પડસુંબિયાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને કે લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, રવાપરથી ધુનડા, સજનપર અને જડેશ્વર સુધી જે રસ્તો છે તે અતિ બિસ્માર છે અને ત્યાં દરરોજ નાના-મોટા અકસ્માતો થાય છે. આ રોડ ઉપર સ્કૂલો તથા રહેણાક વિસ્તાર આવેલ છે તેમજ ઉદ્યોગ પણ આવેલ છે આટલું જ નહીં જડેશ્વર મહાદેવના મંદિર જવા માટે પણ રોડનો લોકો ઉપયોગ કરે છે ત્યારે આ રોડ ઉપરથી આવતા અને જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને તાત્કાલિક આ રોડનું રીસરફેસિંગ અને પેચિંગનું કામ કરવામાં આવે તે જરૂરી છે અને કપચી ભરેલ ઓવરલોડર ટ્રક સહિતના વાહનો બેફામ અહી દોડે છે જેથી રોડ તૂટી જાય છે માટે ૪૦ ટન વજનની કેપેસિટી મુજબની ડીઝાઈન બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે