માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના સરવડ પાસે કારખાનામાં ઉકળતા પાણીમાં દાઝી જવાથી યુવાનને સારવારમાં ખસેડાયો


SHARE

















માળીયા(મી)ના સરવડ પાસે કારખાનામાં ઉકળતા પાણીમાં દાઝી જવાથી યુવાનને સારવારમાં ખસેડાયો


માળીયા મીયાણાના સરવડ ગામે સનવી જેલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ઉકળતા પાણીમાં દાઝી જવાથી યુવાનને સારવારમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના સરડવ ગામે સાનવી જેલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની અંદર કામ કરતાં સમયે ઉકળતા પાણીમાં દાઝી જવાથી ધીરજભાઈ જયેશભાઈ વસીયાણી (ઉંમર ૪૦) રહે. બોનીપાર્ક આશાપુરા ટાવર રવાપર ઘુનડા રોડ મોરબી વાળાને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન દાઝ્યો

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સનસ્ટીલ નામના કારખાનામાં મજૂરી કામ કરતાં અને ત્યાં રહેતા નંદપાંડે મલયપાંડે (ઉંમર ૨૨) કારખાનામાં તાપણું કરી રહ્યા હતા ત્યારે દાઝી જવાથી તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રાજપર અને ખાનપર રોડ ઉપરથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના બાઇકને આડે કુતરુ ઉતરતા બાઇક ચાલક વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ ૨૫) હે ખાનપર વાળાને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. 

અકસ્માતમાં ઇજા 

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસેથી પસાર થઈ રહેલા શાંતિલાલ ડાયાભાઈ રડવા (ઉંમર ૫૫) રહે. યદુનંદન પાર્ક સનાળા રોડ મોરબી વાળાને વાહન અકસ્માતમાં ઈજા થઈ હોવાથી શાંતિભાઈને સારવાર માટે મોરબીની મધુરમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News