ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં પોસ્ટ ઓફિસ અને સેવા સદનમાં આધારકાર્ડ સેન્ટરે સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા !


SHARE













મોરબીમાં પોસ્ટ ઓફિસ અને સેવા સદનમાં આધારકાર્ડ સેન્ટરે સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા !


હાલમાં આરટીઇના ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય અથવા તો આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારના સુધારા કરવાના હોય તે લોકોએ આધારકાર્ડ સેન્ટર ઉપર જાય છે ત્યારે મોરબીના તાલુકા સેવા સદન અને પોસ્ટ ઓફિસમાં આવેલ આધારકાર્ડ સેન્ટરમાં લોકોનો મેળો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અને ત્યારે આધારકાર્ડ સેન્ટર પાસે સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા થઈ ગયા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો

મોરબીના તાલુકા સેવા સદન અને પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ સેન્ટર આવેલા  છે ત્યાં આધાર કાર્ડ કઢાવવા માટે તેમજ તેમાં સુધારો કરાવવા માટે હાલમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે કેમ કે, ખાનગી શાળામાં વિદ્યાર્થીઓના એડમિશન માટે આરટીઇના ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં આધાર કાર્ડ આપવાનું હોય છે ત્યારે તેમાં ભૂલ હોય કે પછી આધાર કાર્ડ ન હોય તો ફોર્મ ભરી શકતું નથી જેથી કરીને લાલબાગમાં આવેલ તાલુકા સેવાસદન અને પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ સેન્ટરમાં આધારકાર્ડના કામ માટે લોકોની ભીડ એકઠી થઈ હતી જેથી કરીને સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા થતાં હોય તેવો ઘાટ સર્જાયો હતો અને ત્યારે અધિકારી દ્વારા આંખ આડા કાન કરવાના બદલે લોકો હેરાન ન થાય અને કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તે જરૂરી છે






Latest News