મોરબીમાં સતવાર સમાજ દ્વારા આયોજિત સૌને ઘેર સમુહલગ્નમાં કરિયાવર માટેના દાતાઓનું સન્માન કરાયું
મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા જૈન ધર્મ પર અભદ્ર ટીપ્પણીનો વિરોધ
SHARE
મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા જૈન ધર્મ પર અભદ્ર ટીપ્પણીનો વિરોધ
તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસી પાર્ટીના સંસદ બહેન મહુઆ મોઇત્રા દ્વારા સંસદ ભવનમાં જૈન ધર્મ ઉપર અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હતી કે, જૈનના દીકરાઓ પરિવારથી છુપાઈને કબાબ અને નોનવેજ ખાય છે. આ બહેનને ખબર નથી કે જૈન સમાજ અહિંસા પરમો ધર્મથી ઓળખાય છે. નોનવેજની વાત તો બહુ દુર રહી ગઈ પરંતુ જૈન ધર્મમાં કંદમૂળ બિલકુલ વપરાતા નથી કંદમૂળ વાપરવુંએ અમારા માટે બહુ મોટું પાપ છે. જૈન ધર્મ ત્યાગ અહિંસા જીવદયા પ્રેમી તરીકે ઓળખાય છે. આ બહેન મહુઆ મોઇત્રા પોતાના રાજકીય લાભ અથવા તો પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટેના તેના આ નિવેદનને સમસ્ત વિશ્વના જૈન સમાજ તેમના નિવેદનને વખોડેલ છે. કોઈપણ સંસદ, રાજકીય કે સામાન્ય વ્યક્તિએ કોઈપણ ધર્મ વિષે ટીપ્પણી કરવાનો હક્ક નથી, તો આગામી સમયમાં સંસદ ભવનમાં કે જાહેરમાં ફક્ત જૈન જ નહિ પરંતુ કોઈપણ ધર્મ વિષે ટીપ્પણી કરવાનો અધિકાર નથી. આ બહેનને ખબર નથી કે હોટલોમાં અને હવે તો સરકાર દ્વારા રેલ્વેમાં પણ જૈન ફૂડની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે અને હોટલોમાં પણ એમ લખવામાં આવે છે કે જૈન ફૂડ શબ્દ મેનુમાં લખવામાં આવે છે. મોરબીના સમસ્ત જૈન સમાજ દ્વારા ટીએમસી પાર્ટીના સંસદ બહેન મહુઆ મોઇત્રા તેમને કરેલ અયોગ્ય ટીપ્પણી બદલ જાહેરમાં અને સંસદ ભવનમાં પોતાના શબ્દો પરત ખેંચી લ્યે અને માફી માંગે તેવી માંગણી કરી છે આબે મોરબી જૈન સમાજે કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે.









