ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મણિમંદિર પાસેથી દરગાહનું ધાર્મિક દબાણ દૂર કરવા હેરિટેજ બચાવો સમિતિનું કલેક્ટરને અલ્ટિમેટમ


SHARE













મોરબીમાં મણિમંદિર પાસેથી દરગાહનું ધાર્મિક દબાણ દૂર કરવા હેરિટેજ બચાવો સમિતિનું કલેક્ટરને અલ્ટિમેટમ

મોરબી શહેરમાં આવેલ મણિમંદિર પાસે દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું છે જે દબાણો તોડી પાડવા માટે અગાઉ મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય તેમજ રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજારાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિવસ સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી અને અગાઉ હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવીને મણિમંદિર પાસે કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં પણ હજુ સુધી આ ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું નથી ત્યારે હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિના કાજલબેન હિન્દુસ્તાની, કમલભાઈ દવે સહિતના યુવાનો દ્વારા મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યાં ધરણા યોજીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેની સાથોસાથ આગામી તા. ૨૨/૨/૨૦૨૨ સુધીમાં ગેરકાયદેસર કબજો દૂર કરવા માટે થઇને કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી કલેક્ટર સહિતના અધિકારીઓની રહેશે તેવી ચીમકી હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિના યુવાનો દ્વારા ઉચ્ચારવામાં આવે છે






Latest News