ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્યના આંગણે વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન: બહેને જવતલ હોમી ભાઈની ગરજ સારી


SHARE













મોરબીના માજી ધારાસભ્યના આંગણે વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન: બહેને જવતલ હોમી ભાઈની ગરજ સારી

મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્ન માટે છેલ્લા ઘણા સમયથી ખાસ અભિયાન હાથ ધરાયેલ છે અને સામાન્ય પરિવારો લગ્નના ખોટા ખર્ચ ન થાય તે માટે ઘડિયા લગ્નના આયોજન કરવામાં આવે છે ત્યારે ઘડિયા લગ્નને પ્રોત્સાહન મળે તે હેતુ સાથે માજી ધારાસભ્ય દ્વારા અનોખી પહેલા કરવામાં આવી છે અને તેના આંગણે આવી જે કોઈપણ પરિવાર દ્વારા તેના દીકરા દીકરા ઘડિયા લગ્ન કરાવવામાં આવે તેને લગ્નની વિધિ માટેની તમામ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા તેઓ દ્વારા કરી આપવામાં આવે છે

મોરબી જીલ્લામાં પાટીદાર સમાજ દ્વારા લગ્નમાં ખોટા લાખોના ખર્ચ બંધ કરવા માટે છેલ્લા થોડા સમયથી ઘડિયા લગ્ન લેવામાં આવી રહ્યા છે જેમાંથી અન્ય સમાજને પણ ખરેખર પ્રેરણા લેવાની જરૂર છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે, ન માત્ર સામાન્ય પરિવાર પરંતુ ગર્ભશ્રીમંત પાટીદાર પરિવારના લોકો પણ અન્ય લોકો ઘડિયા લગ્નમાં જોડતા નાનપ ન અનુભવે તે માટે પોતાના દીકર અને દીકરીના ઘડિયા લગ્ન મોરબીમાં કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં કોરોના કાળમાં વધુ ભીડ લગ્નમાં એકત્રિત ન થાય તે માટે ઘડિયા લગન ખૂબ જ આવકારદાયી છે અને ત્યારે દરેક સમાજ દ્વારા ઘડિયા લગ્ન લેવામાં આવે તે માટે મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પ્રેરણાદાયક અને ઉત્સાહનરૂપ જાહેરાત કરવામાં આવી છે અને તેઓના નિવાસ સ્થાન ઉમા ટાઉનશીપ ખાતે કોઈપણ સમાજ ઘડિયા લગ્નનું આયોજન કરી શકે છે અને ત્યાં ઘડિયા લગન માટે જે કોઈ આવે તેના માટે ધાર્મિક વિધિની તમામ સામગ્રી, મંડપ અને તેઓની જમવા સહિતની તમામ વ્યવસ્થાનો ખર્ચો મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા આપવામાં આવે છે આજે મોરબીમાં રહેતા ચિરાગ દિનેશભાઇ સરડવા અને માનસીબેનના ઘડિયા લગ્ન હતા ત્યારે મોરબી માળીયા પાટીદાર સમૂહલગ્ન સમિતિના આગેવાનો ત્યાં હજાર રહ્યા હતા અને વાર કન્યાને આશીર્વાદ આપ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, કન્યા મનીષાબેનને ભાઈ ન હોવાથી તેની બે બહેનો દ્વારા લગ્ન વિધિમાં જવતલ હોમિને ભાઈની ગરજ સરવામાં આવી હતી






Latest News