વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ચિત્રકૂટ ચોકમાં રહેતી પરિણીતાએ બાથરૂમમાં જાત જલાવી


SHARE







મોરબીના ચિત્રકૂટ ચોકમાં રહેતી પરિણીતાએ બાથરૂમમાં જાત જલાવી, મહિલાને રાજકોટ સારવારમાં ખસેડાયા

મોરબીના શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી પાસે આવેલ ચિત્રકૂટ ચોકના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ તેઓના ઘરે બાથરૂમમાં અગ્નિસ્નાન કરી લીધું હતું જેથી ગંભીર રીતે દાઝી ગયેલ મહિલાને પ્રથમ સારવાર માટે મોરબી આબે ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને ગંભીર રીતે દાઝી ગયેલા મહિલાની સારવાર હાલમાં રાજકોટ ચાલુ છે તેવું જાણવા મળેલ છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીના ચોકમાં મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન જયેશભાઈ પટેલ નામના ૩૭ વર્ષીય મહિલાતેના ઘરે એકલા હતા ત્યારે બાથરૂમમાં જવલંતશીલ પદાર્થ શરીરે છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું જેથી તે ગંભીરપણે દાઝી ગયેલ હતી જેથી તેને મોરબીની હોસ્પિટલમાં  સારવાર માટે લઈને આવ્યા હતા અને મહિલા વધુ ગંભીર રીતે દાઝી ગયેલ હોવાથી તેને તાત્કાલિક રાજકોટ રિફાર કરવામાં આવેલ છે અને હાલ તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભારતીબેન ઘરે એકલા હતા ત્યારે તેને અગ્નિસ્નાન કરેલ છે અને તેઓ મૂળ તરઘડી ગામના વતની છે બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ. ઝાપડિયા આગળની તપાસ કરી રહ્યા છે.

અકસ્માતમાં ઈજા

ધાંગધ્રાના ગાજણ ગામના ભરતભાઈ મધુભાઈ ઇંદરિયા નામનો ૪૨ વર્ષીય યુવાન મોરબીના હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસેથી પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત ભરતભાઈને હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવેલ છે જ્યારે મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા ઓધવજીભાઈ પુંજાભાઈ કણજારીયા નામનો ૪૯ વર્ષીય યુવાન મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સાધના હોટલ પાસેથી જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત ઓધવજીભાઈને પણ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં ખસેડાયા હતા.






Latest News