હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

કોરોનામાં ભુલાઈ ગયેલા ગરીબ ભાજપને હવે યાદ આવ્યા !: રમેશભાઈ રબારી


SHARE













કોરોનામાં ભુલાઈ ગયેલા ગરીબ ભાજપને હવે યાદ આવ્યા !: રમેશભાઈ રબારી

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સમિતિના માજી ઉપપ્રમુખ રમેશભાઇ બી. રબારીએ સીએમ ઉપર સીધું જ નિશાન ટંકાયું છે અને કોરોના સમયે ભુલાઈ ગયેલા ગરીબો હવે ગુજરાત સરકારને યાદ આવ્યા છે અને ગરીબ મેળા ચાલુ કર્યા છે તેવી ટકોર કરી છે

આગામી ૨૫ તારીખથી રાજયમાં ગરીબ મેળા યોજાશે ત્યારે સરકારને ગરીબો યાદ આવ્યા ? કોરોના કાળમાં અનેક ગરીબ પરિવારો પાયમાલ થઈ ગયા અને હજારો લોકો મોતને ભેટયા છે ત્યારે ગરીબોને પુરી સારવાર નથી આપી, ઓકિસજનની ભારે અછત અને પાયમાલી થયેલ છે. કોરોનાના કારણે મૃત્યુ પામેલ પરિવારને ડીજાસ્ટર નિયમાનુસાર ચાર લખાની સહાયની જગ્યાએ માત્ર ૫૦,૦૦૦ ચુકવેલ છે અને તે પણ અંશતઃ કોરોનામાં અનેક પરિવાર બેરોજગાર બન્યા છે જેઓ પાસે આજે પણ ધંધો રોજગાર નથી હોસ્પિટલમાં દવા અને સારવારનાં અભાવે અનેક લોકો મરણને શરણ થયા છે ત્યારે સરકારી તંત્ર અને જવાબદાર રાજકિય આગેવાનો કર્યાં હતા ? સરકારી અધિકારીઓ કયાં હતા ? જેઓ કોઈને ઉપયોગી થતા નથી અને ગરીબ લોકોને હડધૂત કરાતા હતા

હવે આજે ચૂંટણીટાણે ગરીબ મેળાઓ કરી ગરીબ લોકોને અને સમાજને મૂર્ખ બનાવવા પેતરા ચાલુ કરેલ છે જે કોરોના પિડિત દર્દી દવાખાના સિવાય ઘેર સારવાર લીધી હો જેઓ ગમે ત્યાં જતા આવતા સારવાર શોધતા મૃત્યુ પામ્યા હો તેઓને સહાય મળેલ નથી અને ચોકકસ નોંધ નથી. આવા લાભાર્થી પરિવારોને મૃત્યુ દીઠ ચાર લાખની સહાય આપવી જોઈએ નાના ધંધાર્થીઓને રોકડ સહાય અને સબસીડી આપવી જોઈએ તો જ ગરીબ મેળા સાર્થક ગણાય બાકી તો આ ચૂંટણીલક્ષી મેળાઓ નિરર્થક બની રહેશે તેવું કહીને રમેશભાઈએ આવા નાટકીય તાયફાઓનાં બદલે વાસ્તવીક તપાસ કરીને કોરોનાનાં ભોગ બનનાર પરિવારોને પુરતી સહાય આપવાની માંગ કરેલ છે 






Latest News