મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે સિરામિકના શેડ ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત


SHARE















મોરબીના લખધીરપુર રોડે સિરામિકના શેડ ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત 

મોરબી નજીકના લખધીરપુર રોડ પર આવેલ સિરામિકના કારખાનામાં શેડ ઉપર પતરાનું કામ કરી રહેલ યુવાન પતરુ તુટતા ઉપરથી અકસ્માતે નીચે પડ્યો હતો જેથી કરીને તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે ઇજાગ્રસ્ત યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો જોકે રાજકોટ ખાતે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નિપજ્યુ હતુ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી વીસીપરા વિસ્તારની અંદર રેલવે સ્ટેશન પાછળ ખાડામાં આદમભાઈ ઘાંચીના મકાનમાં રહેતા આરીફભાઈ અલારખાભાઈ બ્લોચ જાતે ફકીર (ઉંમર વર્ષ ૨૩) નામનો યુવાન મોરબીના લખધીરપુર રોડ પર આવેલ જેકસ સિરામિકમાં સેડ ઉપર ચડીને કામ કરી રહ્યો હતો ત્યારે પતરુ તૂટી પડતાં તે અકસ્માતે નીચે પડ્યો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે પ્રથમ સારવારમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News