મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

યુક્રેન અભ્યાસ માટે ગયેલ મોરબીની વિદ્યાર્થીની ફસાઈ છે ત્યાં રશિયાનો હુમલો હાલમાં ચાલુ


SHARE











યુક્રેન અભ્યાસ માટે ગયેલ મોરબીની વિદ્યાર્થીની ફસાઈ છે ત્યાં રશિયાનો હુમલો હાલમાં ચાલુ

 મોરબીથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા વિદેશ જતાં હોય છે આવી જ રીતે યુક્રેનમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા છે જેમાં વધુ એક વિદ્યાર્થીની યુક્રેનમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે. અને આ વિદ્યાર્થીની જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે ત્યાં રજા જાહેર મોડી કરી હતી અને તે ત્યાંથી આવવા માટે એરપોર્ટ ઉપર જવાના હતા ત્યાર પહેલા જ રશિયાએ એરપોર્ટ ઉપર હુમલો કર્યો હતો જેથી તે ત્યાંથી નીકળી શકેલ નથી.

મોરબીનો કુલદીપ દીપકભાઈ દવે નામનો યુવાન અભ્યાસ કરવા માટે યુક્રેન ગયો છે અને તે હાલમાં હુમલા વચ્ચે તે ફસાયો ચ તેવી માહિતી ગઇકાલે સામે આવી હતી તેવામાં મોરબીમાં આવેલ મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલક લાલજીભાઈ કૂનપરાની દીકરી શૈલજા કુનપરા યુક્રેનમાં અભ્યાસ કરવા માટે ગયેલ છે અને ત્યાં માયકોલાઇવ સિટીમાં આવેલા બ્લેક સી નેશનલ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે અને તે હાલમાં છેલ્લા વર્ષમાં છે ત્યારે રશિયા દ્વારા હુમલો કરવામાં આવતા તે ત્યાં ફસાઈ ગયેલ છે જો કેશૈલજાના કહેવા મુજબ યુક્રેનમાં રશિયન આર્મી છવાઈ ગઈ છે. પરંતુ સિવિલયનને હુમલાનો ડર નથી. પણ હવાઈ હુમલાનું જોખમ સતત રહે છે.

સમસ્ત બ્રહ્મસમાજની માંગ

મોરબીનો વિદ્યાર્થી કુલદીપ દીપકભાઈ દવે અહીથી એમબીબીએસના અભ્યાસ માટે યુક્રેન ગયો છે ને ત્યાં તે ટાર્નોપિલ શહેરમાં ફસાયેલ છે અને હાલમાં ત્યાં યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે તેને મોરબી સુરક્ષિત પાછો લાવવા માટે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કૅયુરભાઈ પંડ્યા તથા અમુલભાઇ જોષી દ્વારા ટ્વિટરના માધ્યમથી વહીવટી તંત્ર પાસે માંગણી કરેલ છે.






Latest News