ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

યુક્રેન અભ્યાસ માટે ગયેલ મોરબીની વિદ્યાર્થીની ફસાઈ છે ત્યાં રશિયાનો હુમલો હાલમાં ચાલુ


SHARE













યુક્રેન અભ્યાસ માટે ગયેલ મોરબીની વિદ્યાર્થીની ફસાઈ છે ત્યાં રશિયાનો હુમલો હાલમાં ચાલુ

 મોરબીથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા વિદેશ જતાં હોય છે આવી જ રીતે યુક્રેનમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા છે જેમાં વધુ એક વિદ્યાર્થીની યુક્રેનમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે. અને આ વિદ્યાર્થીની જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે ત્યાં રજા જાહેર મોડી કરી હતી અને તે ત્યાંથી આવવા માટે એરપોર્ટ ઉપર જવાના હતા ત્યાર પહેલા જ રશિયાએ એરપોર્ટ ઉપર હુમલો કર્યો હતો જેથી તે ત્યાંથી નીકળી શકેલ નથી.

મોરબીનો કુલદીપ દીપકભાઈ દવે નામનો યુવાન અભ્યાસ કરવા માટે યુક્રેન ગયો છે અને તે હાલમાં હુમલા વચ્ચે તે ફસાયો ચ તેવી માહિતી ગઇકાલે સામે આવી હતી તેવામાં મોરબીમાં આવેલ મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલક લાલજીભાઈ કૂનપરાની દીકરી શૈલજા કુનપરા યુક્રેનમાં અભ્યાસ કરવા માટે ગયેલ છે અને ત્યાં માયકોલાઇવ સિટીમાં આવેલા બ્લેક સી નેશનલ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે અને તે હાલમાં છેલ્લા વર્ષમાં છે ત્યારે રશિયા દ્વારા હુમલો કરવામાં આવતા તે ત્યાં ફસાઈ ગયેલ છે જો કેશૈલજાના કહેવા મુજબ યુક્રેનમાં રશિયન આર્મી છવાઈ ગઈ છે. પરંતુ સિવિલયનને હુમલાનો ડર નથી. પણ હવાઈ હુમલાનું જોખમ સતત રહે છે.

સમસ્ત બ્રહ્મસમાજની માંગ

મોરબીનો વિદ્યાર્થી કુલદીપ દીપકભાઈ દવે અહીથી એમબીબીએસના અભ્યાસ માટે યુક્રેન ગયો છે ને ત્યાં તે ટાર્નોપિલ શહેરમાં ફસાયેલ છે અને હાલમાં ત્યાં યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે તેને મોરબી સુરક્ષિત પાછો લાવવા માટે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કૅયુરભાઈ પંડ્યા તથા અમુલભાઇ જોષી દ્વારા ટ્વિટરના માધ્યમથી વહીવટી તંત્ર પાસે માંગણી કરેલ છે.






Latest News