મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના કલાવડી પાસે ચાલતા ચાલતા પડી ગયેલા યુવાનને માથામાં ઇજા થવાથી મોત


SHARE











વાંકાનેરના કલાવડી પાસે ચાલતા ચાલતા પડી ગયેલા યુવાનને માથામાં ઇજા થવાથી મોત

વાંકાનેર તાલુકાના લાવડી ગામ પાસેથી ચાલતા ચાલતા જઈ રહેલ યુવાન કોઈ કારણોસર પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેથી તે યુવાનનું મૃત્યુ નિપજ્યુ છે જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં જામનગર રોડ પર આવેલ સંજયનગર-૨ માં રહેતો આરીફ અકબરભાઈ બ્લોચ નામનો ૪૨ વર્ષીય યુવાન વાંકાનેર તાલુકાના લાવડી ગામ પાસેથી ચાલતા ચાલતા જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ અકસ્માત મૃત્યુ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 આધેડનું મોત 

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે આવેલ રોયલ સિરામિકમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રામકૃષ્ણ સૂરુદિન કોરી મુનકર (૫૦) નામના આધેડને ચક્કર આવતા તે પડી ગયા હતા અને તેને ત્યારબાદ બેભાન અવસ્થામાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News