ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના કલાવડી પાસે ચાલતા ચાલતા પડી ગયેલા યુવાનને માથામાં ઇજા થવાથી મોત


SHARE













વાંકાનેરના કલાવડી પાસે ચાલતા ચાલતા પડી ગયેલા યુવાનને માથામાં ઇજા થવાથી મોત

વાંકાનેર તાલુકાના લાવડી ગામ પાસેથી ચાલતા ચાલતા જઈ રહેલ યુવાન કોઈ કારણોસર પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેથી તે યુવાનનું મૃત્યુ નિપજ્યુ છે જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં જામનગર રોડ પર આવેલ સંજયનગર-૨ માં રહેતો આરીફ અકબરભાઈ બ્લોચ નામનો ૪૨ વર્ષીય યુવાન વાંકાનેર તાલુકાના લાવડી ગામ પાસેથી ચાલતા ચાલતા જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ અકસ્માત મૃત્યુ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 આધેડનું મોત 

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે આવેલ રોયલ સિરામિકમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રામકૃષ્ણ સૂરુદિન કોરી મુનકર (૫૦) નામના આધેડને ચક્કર આવતા તે પડી ગયા હતા અને તેને ત્યારબાદ બેભાન અવસ્થામાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News