મોરબીમાંથી અપહરણ કરાયેલ સગીરાને પોલીસ ન શોધી શકતા હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ
SHARE









મોરબીમાંથી અપહરણ કરાયેલ સગીરાને પોલીસ ન શોધી શકતા હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ
મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં તા. ૧૧/૦૪/૨૦૨૧ ના રોજ નોંધાયેલ ગુના અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર સરદાર નગર-૧ રહેતા મૂળ ઉત્તરપ્રદેશ શાહકુંદનપુર રહેવાસી ફરિયાદી કાંતસિંહ શ્યામફલ યાદવની સગીર વયની દીકરીને આરોપી નીકુંજ ભગવાનજીભાઇ સોરઠીયા જાતે પટેલ મૂળ રહે. લોઠીયા તાલુકો જામનગર વાળાએ લલચાવી ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયેલ છે. જે ગુનાની તપાસ ચાલુ છે.
આ મુદ્દે ફરિયાદી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરે છે. અને આ ગુનાના આરોપીને પકડવા માટે પોલીસે પૂરતા પ્રયત્નો કરવા છતાં આરોપી આજદિન સુધી પકડાયેલ નથી. જેથી આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો ફરે છે. અને આરોપીનો કોઇ પત્તો મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ, એ ડીવીજન પોલીસ સ્ટેશન મોરબીના પીઆઇ એમ.આર. ગોઢાણીયા (૯૮૨૫૨૭૯૫૦૩, ૯૯૭૯૭૯૭૭૮૮) અથવા કચેરીના ટેલીફોન નં.૦૨૮૨૨-૨૩૦૧૮૮ પર સંપર્ક કરીને આરોપીની જાણ કરવા પોલીસ તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.
