મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો મોરબીના નીચી માંડલ ગામે રહેતી યુવતી ગુમ મોરબીમાં ડીવાયએસપીના નામે યુવાનને ડરાવી-ધમકાવીને 30 હજાર રૂપિયા પડાવવાના ગુનામાં ત્રણ શખ્સ સામે કાર્યવાહી મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, ધારિયા વડે થયેલ હુમલાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ મોરબીમાં સાળા-સસરા વચ્ચે ચાલતા જમીન માટેના ઝઘડામાં ભત્રીજાને વચ્ચે ન રાખવાનું કહેતા આધેડ અને તેના ભાઈ ઉપર મહિલાઓ સહિત 23 લોકોનો હુમલો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જુદીજુદી બે સંસ્થા દ્વારા બાળાઓને શૈક્ષણિક કિટ અપાઈ ટંકારા તાલુકામાં મંદિર ચોરીના ગુન્હામાં ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપી પકડાયો
Breaking news
Morbi Today

મોરબીથી બદલી કરવામાં આવેલા અધિક કલેકટર કેતન જોશીનો વિદાય સમારંભ યોજાયો


SHARE















મોરબીથી બદલી કરવામાં આવેલા અધિક કલેકટર કેતન જોશીનો વિદાય સમારંભ યોજાયો

 મોરબીમાં વર્ષો સુધી સેવા આપી મોરબી જીલ્લાને વિવિધ આયામો થકી ગતિશીલ બનાવવા કાર્યરત અધિક કલેક્ટર કેતનભાઈ જોષીની બદલી તાજેતરમાં નવસારી ખાતે કરવામાં આવી છે ત્યારે તેઓનો વિદાય સમારંભ નવલખી રોડે આવેલા પરશુરામ ધામ ખાતે યોજાયો હતો. આ અવસરે ધારાસભ્ય  બ્રિજેશભાઈ મેરજા, પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના અગ્રણી ડો. અનિલભાઈ મહેતા, હસુભાઈ પંડ્યા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ, નિરજ ભટ્ટ, નિખીલભાઈ જોષી, મુકુંદભાઈ જોષી, નવનિતભાઈ મહેતા, આર. કે. ભટ્ટ, મનોજભાઈ પંડ્યા સહિતના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કેતનભાઈ જોશીનું શાલ, પુસ્તક, પુષ્પહાર, પુષ્પગુચ્છ અને ખેસથી સન્માન કરવામાં આવ્યું હતુ અને તેમણે પોતાનો પ્રતિભાવ આપતાં પોતાના સંસ્મરણો વાગોળી અને વિવિધ આગેવાનો સાથેની આત્મીયતાને યાદ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યુ હતું






Latest News