મોરબીના મમુદાઢી હત્યા કેસમાં નાસતા ફરતાં ૪ આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ કોર્ટમાં હાજર થવા ફરમાન
SHARE
મોરબીના મમુદાઢી હત્યા કેસમાં નાસતા ફરતાં ૪ આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ કોર્ટમાં હાજર થવા ફરમાન
મોરબીના શનાળા બાયપાસ રોડ ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગનો બનાવ બનેલ હતો જેમાં મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ ટેન દીકરાએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરીફ મિર સહિત ચાર આરોપીઓ નાસ્તા ફરે છે જેથી કરીને ગુજસીટોકની સ્પેશ્યલ કોર્ટ દ્વારા ચારેય આરોપીઓને કોર્ટમાં હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે
ગત તા.૦૭/૦૯/૨૧ના રોજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સાડા આઠેક વાગ્યા વખતે મોરબી શનાળા બાયપાસ રોડ ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગનો બનાવ બનેલ હતો જેમા ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ થતા મહમદ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણી રહે. ખાટકીવાસ મોરબી વાળાની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં આરોપી આરીફ ગુલામ મીર સહીત કુલ-૧૩ આરોપીઓ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો ત્યાર બાદ તપાસ દરમિયાન ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ ૨૦૧૫ ની કલમ ૩(૧), ૩(૨), ૩(૪) મુજબનો ગુજસીટોકનો ઉમેરો કરવામા આવેલ છે.
આ કેસની તપાસમાં કુલ ૧૮ આરોપીઓના નામો ખુલવા પામેલ છે. જેમાથી ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને કોર્ટના હુકમથી અલગ અલગ જેલમાં મોકલી આપેલ છે. જો કે, આ ગુનામાં આરોપી આરીફ ગુલમામદભાઇ ધોળા જાતે મીર રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબી, મકસુદભાઇ ગફુરભાઇ સમા રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબી, કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા જાતે કુરેશી રહે. વજેપર, મતવા વાસ, મોરબી અને હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર જાતે ફકીર રહે. વજેપર મેઇનરોડ, દરગાહ પાસે, મોરબી વાળા નાસ્તા ફરતા હોય કોર્ટમાંથી આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબનુ વોરંટ મેળવવામા આવેલ છે. તેમ છતાં આરોપીઓ પોતાની ઘરપકડ ટાળવા સારૂ ગુન્હાના કામે ફરાર થયેલ છે માટે ચારેય આરોપીઓને હાજર થવા સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ રાજકોટ દ્વારા આરોપીઓને ફરિયાદનો જવાબ આપવા કોર્ટ સમક્ષ હાજર થવા સી.આર.પી.સી કલમ ૮૨ અનુસાર જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.