મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના પુલ દરવાજા ચોક અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના પુલ દરવાજા ચોક અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેરના પુલ દરવાજા ચોક પાસેથી પસાર થતાં યુવાનને અગાઉ કુટુંબીક ભાઈ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને બે શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને લોખંડના કેરિયર વડે માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને માથામાં ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરની સિપાઈ શેરીમાં રહેતા હસનભાઇ ઈશાભાઇ જીંદાણી જાતે મતવા (ઉ.૩૨) વાંકાનેરના પુલ દરવાજા ચોક પાસે હતા ત્યારે તેની સાથે ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનો મોહનભાઈ ભરવાડ તેમજ અનિલભાઈ બુટાભાઈ લામકા રહે. ભરવાડપરા વાંકાનેર વાળાએ માથાકૂટ કરી હતી અને ત્યારે ઘનશ્યામભાઈએ તેને લોખંડના પાઇપ વડે અને અનિલભાઈ લોખંડના કેરિયર વડે માથામાં અને હાથે-પગે ઇજાઓ કરી હતી જેથી કરીને હસનભાઈને ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં હસનભાઈ જીંદાણીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે ચારેક વર્ષ પહેલા આરોપીઓના કૌટુંબિક ભાઈ રણછોડભાઇ ભરવાડ સાથે ઝઘડો થયો હતો તે બાબતનો રોષ રાખીને હાલમાં આ બંને શખ્સોએ તેને માર મારેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News