મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો મોરબીના નીચી માંડલ ગામે રહેતી યુવતી ગુમ મોરબીમાં ડીવાયએસપીના નામે યુવાનને ડરાવી-ધમકાવીને 30 હજાર રૂપિયા પડાવવાના ગુનામાં ત્રણ શખ્સ સામે કાર્યવાહી મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, ધારિયા વડે થયેલ હુમલાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ મોરબીમાં સાળા-સસરા વચ્ચે ચાલતા જમીન માટેના ઝઘડામાં ભત્રીજાને વચ્ચે ન રાખવાનું કહેતા આધેડ અને તેના ભાઈ ઉપર મહિલાઓ સહિત 23 લોકોનો હુમલો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જુદીજુદી બે સંસ્થા દ્વારા બાળાઓને શૈક્ષણિક કિટ અપાઈ ટંકારા તાલુકામાં મંદિર ચોરીના ગુન્હામાં ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપી પકડાયો
Breaking news
Morbi Today

મોરબી : નવયુગ સંકુલમાં કોરોના વેકસીનેશન અભિયાન માટે મિટિંગનું આયોજન


SHARE















મોરબી : નવયુગ સંકુલમાં કોરોના વેકસીનેશન અભિયાન માટે મિટિંગનું આયોજન

મોરબી રાજકોટ હાઇવે ઉપર વીરપર પાસે બા ની વાડી પાછલા આવેલ નવયુગ કોલેજ (નવયુગ સંકુલ) ખાતે કોરોના વેકસીનેશન અભિયાન માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ અને ડાયરેક્ટર હાજર રહેવાના છે ત્યારે તારીખ ૭/૭ ના રોજ રાખવામા આવેલી આ મિટિંગમાં મોરબી શહેર અને જીલ્લાની તમામ કોલેજોના આચાર્યઓને હાજર રહેવા અનુરોધ કર્યો છે

ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયમાં ઝડપી વેકસીનેશન થાય અને રાજયમાં દરેક નાગરીક વેકસીન લે તે માટે સમગ્ર રાજયમાં રાજય સરકાર દ્વારા વેકસીનેશનની વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઉપલક્ષ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો કોરોનાની આ મહામારીમાં રક્ષણ મેળવે તે માટે કોરોના વેકસીનેશન અભિયાન કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ શરુ કરવામાં આવેલ છે. આ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મોરબી શહેર અને જીલ્લાની કોલેજોમાં વેકસીનેશન અભિયાનના સંદર્ભમાં એક મીટીંગનું આયોજન કરવામાં અવાયું છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, આઈ.કયુ.એ.સી.ના ડાયરેક્ટર ડો. ગીરીશભાઈ ભીમાણી ઉપસ્થિત રહેવાના છે આ મિટિંગ મોરબી રાજકોટ હાઇવે ઉપર વીરપર પાસે બા ની વાડી પાછલા આવેલ નવયુગ કોલેજ (નવયુગ સંકુલ) ખાતે તારીખ ૭/૭ ના રોજ રાખવામા આવી છે અને મોરબી શહેર અને જીલ્લાની તમામ કોલેજોના આચાર્યઓને આ મીટીંગમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News