ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોરોના કેર સેન્ટર શરૂ કરીને દર્દીઓની સેવા કરનાર સંસ્થાના સંચાલકોના કરાયા સન્માન


SHARE













મોરબી જીલ્લામાં કોરોના કેર સેન્ટર શરૂ કરીને દર્દીઓની સેવા કરનારીસંસ્થાના સંચળકોનું કરાયું સન્માન

 મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેરમાં ધડોધડ પોઝિટિવ કેસ વધવા લાગ્યા હતા ત્યારે દર્દીઓની સારવાર માટે જુદીજુદી સેવાભાવી સંસ્થાઓ, જુદાજુદા સમાજ અને સંગઠન દ્વાર કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા જેથી કરીને કોરોના સામેની પરિસ્થિતી જે તે સમયે થાળે પડી ગઈ હતી માટે મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેર સમયે કામ કરનારી  સંસ્થાઓને બિરદાવવા માટે સેવાભાવી સંસ્થાઓનું કલેકટર કચેરીએ કલેક્ટર જે. બી. પટેલ, ડી.ડી.ઓ. પરાગ ભગદેવ, અધિક કલેકટર કેતન જોશી સહિતના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને જે સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં પાટીદાર કોરોના કેર સેન્ટર જોધપર અને પટેલ કન્યા છાત્રાલય, લોહાણા વિદ્યાર્થી ભવન, યંગ ઇન્ડિયા ગ્રુપ, સમસ્ત સતવારા સમાજ, જય અંબે કોવિડ કેર સેન્ટર, સિમ્પોલો ફાઉન્ડેશન, ગેલેક્સી મોમીન કોવિડ કેર સેન્ટર, ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ, સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી, યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ, ઉમિયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ, શિયા ઇમામી ઇસ્માઇલી જમાતખાના, સરદાર પટેલ લેઉવા પાટીદાર સમાજ-ટંકારા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અજયભાઈ લોરીયા, સીરામીક એસોસિએશન અને અજંતા એલપીપી આમ કુલ મળીને ૧૯ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News