મોરબીમાં ઘર નજીક પગપાળા ચાલીને જતા સમયે પડી ગયેલા વૃદ્ધનું મોત મોરબીની મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 190 થી વધુ લોકોએ કર્યું રક્તદાન મોરબીના મહેન્દ્રનગર ગામે રક્તદાન કેમ્પ યોજાયો: નિવૃત શિક્ષકે કર્યું ૫૭ મી વખત રક્તદાન મોરબી જિલ્લાના વાહનોના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં દુકાને નાસ્તો લેવા ગયેલ બાળકી સાથે અડપલા કરનાર બેશર્મ વૃદ્ધની અટકાયત મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ મોરબીના ખાખરાળા ગામે બાઇક અકસ્માત બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીમાં મિલકત વેરો વસૂલ કરવા 2073 મિલકતધારકોને વોરંટની બજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા એનએસયુઆઈ દ્વારા કલેકટરને આવેદન પાઠવીને ૫૦ ટકા ફી માફીની કરાઇ માંગ


SHARE















મોરબી જિલ્લા એનએસયુઆઈ દ્વારા કલેકટરને આવેદન પાઠવીને ૫૦ ટકા ફી માફ કરવાની માંગ


કોરોનાના લીધે પ્રત્યક્ષ શિક્ષણ સદંતર બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે ખાનગી શાળાઓ અને કોલેજો દ્વારા વિદ્યાર્થીઓએ પાસેથી ફીના ઉઘરાણા કરવામાં આવે છે તે મુદે મોરબી જીલ્લામાં એનએસયુઆઈ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને વિદ્યાર્થીઓની ૫૦ ટકા ફી માફ કરવા માટેની માંગ કરવામાં આવી છે

રાજ્યભરમાં એનએસયુઆઈ અને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થિઓની ફી મુદે રજૂઆત કરવામાં આવી છે ત્યારે મોરબી જીલલમાં એનએસયુઆઈના પ્રમુખ દેવેન્દ્ર્સિંહ જાડેજાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું અને રાજ્યમાં તમામ શાળા-કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ સદંતર બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓને ઇલેક્ટ્રિસિટી, પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઈ વગેરે જેવા દૈનિક ખર્ચાઓ થતાં નથી અને હાલમાં મધ્યમ અને નાના વર્ગના નોકરી-ધંધા-રોજગાર કરતા પરિવારો આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે. ત્યારે ખાનગી શાળા સંચાલકો ફી ન ઉઘરાવે તે માટે વાલી મંડળના પ્રતિનિધિઓ કે વાલીઓના અભિપ્રાય લેવામાં આવેલ નથી અને સંચાલકો સાથે બેઠક યોજીને આ બેઠકમાં સંચાલકોની અનુકૂળતા મુજબ આગામી શૈક્ષણિક વર્ષની ફીમાં વધારો ન કરવાનું કહીને સંચાલકોને અનુકૂળ નિર્ણય લેવાં આવેલ છે

એકબાજુ ખાનગી શાળા સંચાલકો દ્વારા સરકારને કોરોનામાં મદદરૂપ થવા દાન કરવામાં આવે છે અને બીજી બાજુ કોરોનાની વચ્ચે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને જીવન નિર્વાહના ફાફાં છે તેવા સમયે અમુક શાળાઓ એડ્વાન્સ ફી જમા કરાવવા કહી રહી છે જો કે, આગામી સમયમાં શાળા-કોલેજો ક્યારે પ્રત્યેક્ષ શિક્ષણ માટે શરૂ થશે તે હજુ નક્કી નથી એટલે કે બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કોરોના સમયે હજુ પણ ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવે તેવી શક્યતા છે ત્યારે લાખો રૂપિયાની ફી ઉઘરાવતી ખાનગી શાળા કોલેજોના વિદ્યાર્થીઓના વાલીઓને રાહત થાય તે માટે ૫૦ ટકા ફી માં રાહત આપવામાં આવે તે જરૂરી છે આ તકે મોરબી જિલ્લા એનએસયુઆઈ અને યુવા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, જયંતીભાઈ પટેલ, મહેશભાઈ રાજ્યગુરુ, હસુભાઈ પટેલ, અશ્વિનભાઈ વિડજા,વસીમ મનસુરી અને મોરબી એનએસયુઆઈ અને કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા

 મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News