મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોરોના કાળમાં શ્રેષ્ઠ સેવા આપનાર સેવાભાવીઓનું તંત્ર દ્વારા કરાયું સન્માન


SHARE













વાંકાનેરમાં કોરોના કાળમાં શ્રેષ્ઠ સેવા આપનાર સેવાભાવીઓનું તંત્ર દ્વારા કરાયું સન્માન

(કેતન ભટ્ટી દ્વારા) કોરોના કાળ દરમ્યાન શ્રેષ્ઠ સેવા પ્રદાન કરનારી સમગ્ર મોરબી જીલ્લાની સંસ્થાઓ અને સેવા ભાવિઓનો એક સન્માન કાર્યક્રમ મોરબી જીલ્લા વહીવટી તંત્ર યોજાયેલ હતો જેમાં વાંકાનેરનાં શ્રેષ્ઠ સેવાભાવિઓનું પણ  અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.


વાંકાનેરમાં કોરોના કાળ દરમ્યાન ભારે કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી, કોરોનાથી અનેક લોકો નાં મૃત્યુ થઈ રહ્યા હતાં, ઓક્સિજન માટે લોકો ચારે બાજુ રઝળપાટ કરી રહ્યા હતાં, સિવિલ હોસ્પિટલમાં જગ્યા ન હતી, ખાનગી હોસ્પિટલ મોટા ભાગની બંધ હતી તેવા કપરા સમયે લોકોને કોરોના સારવાર માટે ક્યાં જવું તે સૂઝતું ન હતું તેવા સમયે વાંકાનેરનાં અગ્રણી ઉદ્યોગપતિ અને ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ પ્રગ્નેશ ભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રૂપ વાંકાનેર) લોકોની મદદ માટે આગળ આવ્યાં હતાં અને ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સંયુક્ત ઉપક્રમે વેદમાતા ગાયત્રી કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાયો હતો જ્યાં અનેક દર્દીઓની નિઃશુલ્ક સારવાર - દવા આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકોને રાહત થવા પામી હતી ત્યારે મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ યોજાયેલ સન્માન કાર્યક્રમમાં વાંકાનેરમાં યશસ્વી સેવા કરનાર પ્રગ્નેશભાઈ પટેલ, હિરેનભાઈ પારેખને સન્માન પત્ર અર્પણ કરી અદકેરું સન્માન જિલ્લા કલેકટર હસ્તે કરવામાં આવ્યું હતું.




Latest News