ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના નવા ધરમપુર ગામે જૂના ઝઘડાનો ખાર રાખી ઘરમાં ઘૂસીને યુવાનને માર માર્યો: ઘરમાં કરી તોડફોડ


SHARE













મોરબીના નવા ધરમપુર ગામે જૂના ઝઘડાનો ખાર રાખી ઘરમાં ઘૂસીને યુવાનને માર માર્યો: ઘરમાં કરી તોડફોડ

મોરબીના નવા ધરમપુર ગામે રહેતા યુવાન સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને તે ગામની અંદર રહેતાં ત્રણ શખ્સો ધારિયા અને લોખંડના પાઇપ સાથે તેના ઘરમાં આવ્યા હતા અને ઘરની અંદર પ્રવેશ કરીને યુવાને હાથમાં ધારિયાનો ઘ ઝીકયો હતો તેમજ ઘરના દરવાજા સહિત ઘરવખરીમાં નુકસાન કરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે રહેતા અને પ્રગતિ સ્ટોર્સ નામની દુકાન ધરાવતા પ્રવીણગીરી મોતીગીરી ગોસ્વામી જાતે બાવાજી (ઉંમર ૪૮) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જગદીશ કોળી તેમજ તેની સાથે આવેલા અજાણ્યા ૨૦થી ૨૫ વર્ષના બે શખ્સો આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી જગદીશ કોળી સાથે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને તેઓ તેના ઘરમાં આવ્યા હતા અને ત્યારે જગદીશ કોળીએ તેના હાથમાં રહેલ ધારીયાનો એક ઘા તેના ડાબા હાથના કાંડા ઉપર માર્યો હતો અને તેની સાથે આવેલા અન્ય બે શખ્સો દ્વારા ઘરના દરવાજામાં ધારિયાના ઘા ઝીંકીને તોડફોડ કરી નુકસાન કરવામાં આવ્યું હતું અને તેને ગાળો આપી હતી જેથી હાલમાં પ્રવીણગિરિ ગોસ્વામીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીની જગદીશ કોળી તેમજ અન્ય બે શખ્સોને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News