મોરબીના નવા ધરમપુર ગામે જૂના ઝઘડાનો ખાર રાખી ઘરમાં ઘૂસીને યુવાનને માર માર્યો: ઘરમાં કરી તોડફોડ
મોરબીના પંચાસર ગામે વાડીમાં બે શખ્સોએ આગ લગાવીને ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાક સગાવી નાખ્યો !
SHARE
મોરબીના પંચાસર ગામે વાડીમાં બે શખ્સોએ આગ લગાવીને ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાક સગાવી નાખ્યો !
મોરબી તાલુકાના પંચાસર ગામે વાડીમાં ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાક મૂકવામાં આવ્યો હતો જેમાં ગામની અંદર રહેતા બે શખસો દ્વારા આગ લગાવી દેવામાં આવી હતી જેથી કરીને એરંડાનો પાક બળીને ખાખ થઈ ગયો છે અને ખેડૂતને ૧૨.૬૦ લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે આટલું જ નહીં ખેડૂતોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે માટે ભોગ બનેલા ખેડૂતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ માળીયા તાલુકાનાં કુંતસી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પંચાસર ગામે જામભા ઉમેદસિંહ જાડેજાની વાડીએ ઓરડીમાં રહેતા અને ત્યાં ખેતરમાં ખેતીકામ કરતા હીરાભાઈ ભનાભાઈ પરમાર જાતે દેવીપુજક (ઉંમર ૫૦) એ પંચાસર ગામની અંદર રહેતા ભવાનસિંહ અલૂભા ઝાલા અને ભુરુભા સુરુભા ઝાલા રહે. બંને પંચાસર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં છે કે પંચાસર ગામે વિઘોટીથી વાવેલ ૬૦ વીઘા જમીનમાં એરંડાનો પાક તૈયાર થઇ ગયો હતો અને ખેતરમાં ઢગલા કરીને પાકને મૂકવામાં આવ્યો હતો આ ઢગલામાં આરોપીઓએ આગ લગાવી દીધી હતી જેથી ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાક બળીને ખાખ થઇ ગયો છે અને ખેડૂતોને ૧૨.૬૦ લાખ રૂપિયાની નુકશાની થયેલ છે તેમજ આરોપીઓએ ખેડૂતોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ખેડૂતે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે