હળવદના નવા વેગડવાવ નજીક અજાણ્યા આદિવાસી યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા મહિલાઓને સીવણ સહિતની તાલીમ આપવા માટે અરજી લેવાનું શરૂ
SHARE
મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા મહિલાઓને સીવણ સહિતની તાલીમ આપવા માટે અરજી લેવાનું શરૂ
મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સ્વ. સુશીલાબેન સુરેશકુમાર પરમાર મહિલા ઉદ્યોગ તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવે છે જેમાં મહિલાઓને સીવણ સહિતની તાલીમ આપવામાં આવે છે જેની નવી બેન્ચ શરૂ થવાની છે તેને માટે હાલમાં અરજી ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે
મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિની બહેનો માટે સતવારા નવગામ જ્ઞાતિ સંચાલિત સ્વ. સુશીલાબેન સુરેશકુમાર પરમાર મહિલા ઉદ્યોગ તાલીમ કેન્દ્રમાં તા.૧૫/૪/૨૨ થી શરૂ થતા સીવણ ક્લાસ તેમજ ફેન્સી વર્ક (મોતી કામ, દોરી કામ, ઉન કામ,માચી કામ) ના સત્રમાં દાખલ થવા માટે અરજી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને અરજી ફોર્મ શ્રી મોરબી સતવારા નવગામ જ્ઞાતિની જગ્યાએ આવેલ મહિલા સીવણ ક્લાસ ખાતેથી આપવામાં આવશે અને તા ૧૪ પહેલા ભરીને તે ત્યાં જ પાછું આપવાનું છે આ ફોર્મ મેળવવાનો અને સ્વીકારવાનો સમય બપોરે ૧ થી સાંજના ૫ વાગ્યા સુધીનો રાખવામા આવેલ છે તેવું મોરબી શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યુ છે