મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે ગળેફાંસો ખાઈ ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના સામાકાંઠે ગળેફાંસો ખાઈ ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે આવેલ સિરામિક યુનિટમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં મુળ મધ્યપ્રદેશના યુવાને તેના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો જોકે તેના પત્નીને જાણ થઈ જતાં તેને બચાવી લેવાયો હતો અને મોરબી બાદ તેને હાલ વધુ સારવારમાં રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રો તેમજ હોસ્પીટલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે નેશનલ હાઈવે ઉપર વિશાલ ફર્નિચરની સામે આવેલ આરગીલ સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતાં અને મુળ મધ્યપ્રદેશના જીતેન્દ્રભાઈ બાબુભાઈ સૂર્યવંશી નામના ૩૫ વર્ષીય મજુર યુવાને કોઇ કારણોસર ગઇકાલ તા.૩-૪ ના બપોરના ચારેક વાગ્યાના અરસામાં તેના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો જોકે તેના પત્નીને જાણ થઇ જતાં તેણીએ પોતાના પતિને બચાવી લઇને ૧૦૮ ને જાણ કરતા તેને અત્રેની સિવિલે બેભાન હાલતમાં લાવવામાં આવ્યો હતો. જોકે તે બેભાન હોય અને પ્રાથમિક સારવાર આપીને જીતેન્દ્રભાઇને હાલ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ ખાટલાની પાટી વડે તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને તેની પત્નીને જાણ થઇ જતાં તેનો જીવ બચી ગયો છે અને બેભાન હાલતમાં તેને હાલ રાજકોટ ખસેડાયો છે. તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.

સુરજબારી મારામારી

મોરબી-કચ્છ વચ્ચેના સુરજબારી ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો આ સામસામી મારામારીના બનાવમાં ચાર લોકોને ઈજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરજબારીના રહેવાસી અબ્દુલ મોહમ્મદ જાવર (૨૮), મુસ્તાક મોહમ્મદ જાવર (૨૦), સલીમ સુભાન કટિયા (૨૫) અને અબ્દુલા અસ્મત પારડી (૨૧) રહે.ચારેય સુરજબારી વાળાઓને ઇજાઓ થતાં સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા જોકે પોલીસ તપાસ કરે તે પહેલા જ તેઓને સારવારમાં રાજકોટ ખસેડાયો હોય હાલ બનાવના કારણ સંદર્ભે વિગતો જાણવા મળેલ નથી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદ રોડ ઉપર જુના ઘુંટુ ગામે રામનગરી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા ૩૫ વર્ષીય યુવાનને હરિઓમ સોસાયટી નજીકથી ઈજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક બન્યો હતો ત્યાં પેટ્રોલ પંપ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં માળીયા મિંયાણા તાલુકાના ચીખલી ગામના રહેવાસી નીઝામ કરીમભાઇ કટીયા નામના ૩૦ વર્ષીય યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News