ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે ગળેફાંસો ખાઈ ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીના સામાકાંઠે ગળેફાંસો ખાઈ ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે આવેલ સિરામિક યુનિટમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં મુળ મધ્યપ્રદેશના યુવાને તેના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો જોકે તેના પત્નીને જાણ થઈ જતાં તેને બચાવી લેવાયો હતો અને મોરબી બાદ તેને હાલ વધુ સારવારમાં રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રો તેમજ હોસ્પીટલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે નેશનલ હાઈવે ઉપર વિશાલ ફર્નિચરની સામે આવેલ આરગીલ સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતાં અને મુળ મધ્યપ્રદેશના જીતેન્દ્રભાઈ બાબુભાઈ સૂર્યવંશી નામના ૩૫ વર્ષીય મજુર યુવાને કોઇ કારણોસર ગઇકાલ તા.૩-૪ ના બપોરના ચારેક વાગ્યાના અરસામાં તેના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો જોકે તેના પત્નીને જાણ થઇ જતાં તેણીએ પોતાના પતિને બચાવી લઇને ૧૦૮ ને જાણ કરતા તેને અત્રેની સિવિલે બેભાન હાલતમાં લાવવામાં આવ્યો હતો. જોકે તે બેભાન હોય અને પ્રાથમિક સારવાર આપીને જીતેન્દ્રભાઇને હાલ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ ખાટલાની પાટી વડે તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને તેની પત્નીને જાણ થઇ જતાં તેનો જીવ બચી ગયો છે અને બેભાન હાલતમાં તેને હાલ રાજકોટ ખસેડાયો છે. તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.

સુરજબારી મારામારી

મોરબી-કચ્છ વચ્ચેના સુરજબારી ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો આ સામસામી મારામારીના બનાવમાં ચાર લોકોને ઈજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરજબારીના રહેવાસી અબ્દુલ મોહમ્મદ જાવર (૨૮), મુસ્તાક મોહમ્મદ જાવર (૨૦), સલીમ સુભાન કટિયા (૨૫) અને અબ્દુલા અસ્મત પારડી (૨૧) રહે.ચારેય સુરજબારી વાળાઓને ઇજાઓ થતાં સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા જોકે પોલીસ તપાસ કરે તે પહેલા જ તેઓને સારવારમાં રાજકોટ ખસેડાયો હોય હાલ બનાવના કારણ સંદર્ભે વિગતો જાણવા મળેલ નથી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદ રોડ ઉપર જુના ઘુંટુ ગામે રામનગરી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા ૩૫ વર્ષીય યુવાનને હરિઓમ સોસાયટી નજીકથી ઈજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક બન્યો હતો ત્યાં પેટ્રોલ પંપ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં માળીયા મિંયાણા તાલુકાના ચીખલી ગામના રહેવાસી નીઝામ કરીમભાઇ કટીયા નામના ૩૦ વર્ષીય યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News