મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામથી વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા આપવાની માંગ


SHARE











મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામથી વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા આપવાની માંગ

મોરબી નજીકના વનાળીયા અને ગોર ખીજડીયા ગામથી મોરબીમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓની અંદર અભ્યાસ કરવા માટે ૬૦ થી વધુ વિદ્યાર્થીઓ આવે છે જેને નિયમિત રીતે એસટી બસની સુવિધા ન મળતી હોવાથી વિદ્યાર્થીઓને નાછૂટકે ખાનગી વાહનોમાં અભ્યાસ કરવા માટે અવરજવર કરવી પડતી હોય છે ત્યારે ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ અને વનાળિયા ગામના સરપંચની આગેવાનીમાં આ બંને ગામમાંથી મોરબીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને બસની સુવિધા મળે તે માટે મોરબી એસટી ડેપોના મેનેજરને આવેદનપત્ર પાઠવીને વનાળીયા ગામ સુધી શાળાએ અવરજવરમાં અનુરૂપ થાય તે રીતે એસ.ટી બસનો ફેરો આપવા માટે થઈને માંગ કરવામાં આવેલ છે જેથી કરીને વિદ્યાર્થીઓ એસ.ટી.માં મુસાફરી કરીને અભ્યાસ કરવા માટે અવરજવર કરી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મોરબીના વનાળિયા અને ગોર ખીજડીયા ગામથી આવતા વિદ્યાર્થીઓને બસની સુવિધા યોગ્ય રીતે ન મળતી હોવાથી વિદ્યાર્થીઓમુશ્કેલીનો સામનો કરતા હોય છે અને ખાનગી વાહનોમાં પોતાના જીવના જોખમે મુસાફરી કરવી પડે છે






Latest News