મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત ટંકારાના લજાઈ નજીક પત્ની સાથેના કલેશથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં ભાજપ કરતાં સંઘનું પ્રભુત્વ વધ્યું  મોરબીમાં માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ, શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર પાસે ઇકો ગાડી ટ્રક સાથે અથડાતા 4 વ્યક્તિના મોત થવાના બનાવમાં હવે ગુનો નોંધાયો મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ખાતરના ભાવમાં થયેલ વધારો પાછો ખેંચવાની કરી માંગ


SHARE











ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ખાતરના ભાવમાં થયેલ વધારો પાછો ખેંચવાની કરી માંગ

તાજેતરમાં ખાતરના ભાવમાં વધારો કરવામાં આવે છે જેથી કરીને ટંકારા શહેર અને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા કેન્દ્રના મંત્રીને રજૂઆત કરીને ખાતરમાં કરવામાં આવેલા ભાવ વધારાને પાછો ખેંચવાની માંગ કરવામાં આવેલ છે

વર્તમાન સમયમાં ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ડીએપીમાં ૧૫૦ રૂપિયા અને એનપીકે માં ૨૮૦ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને ખેતી મોંઘી બની રહી હોય ખેડૂતોને ખેતી કરવી પરવડે તેમ નથી અને ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર વધુ ઉત્પાદન લેવા માટે કરવામાં આવે છે જેથી કરીને ટંકારા શહેર અને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરીને ખાતરના ભાવમાં કરવામાં આવેલા વધારાને પાછો ખેંચવાની માગણી કરેલ છે






Latest News