માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા પીએસઆઈના પરિવારને ૨૫ લાખની સરકારી સહાય ચૂકવાઈ


SHARE













મોરબી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા પીએસઆઈના પરિવારને ૨૫ લાખની સરકારી સહાય ચૂકવાઈ

ગુજરાત સરકાર ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવની જોગવાઇ મુજબ પોલીસ દળહોમગાર્ડસીવીલ ડીફેન્સ તથા જેલતંત્રના અધિકારી કે કર્મચારીઓ રાજયમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ -૧૯ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન કોરોનાથી સંક્રમીત થાય અને જો તે કર્મચારી કે અધિકારીના દુઃખદ અવસાન થાય તો તેવા કિસ્સામાં તેઓના આશ્રિત કુંટુંબને ૨૫,૦૦,૦૦૦ ની સહાય આપવાની જોગવાઇ થયેલ છે

 ત્યારે મોરબી જિલ્લામાં રીડર શાખામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ધનસુખભાઇ કાનજીભાઇ ચાવડાને કોરોના થયો હતો અને ગત તા .૧૩/૦૪ ના રોજ તેનું અવસાન થતા ગૃહ વિભાગના ઠરાવ મુજબ આશ્રિત કુંટુંબને સહાયની રકમ ચુકવવા માટે પોલીસ અધિક્ષક મોરબી તરફથી તાત્કાલીક દરખાસ્ત કરવામાં આવેલ હતી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર તરફથી સહાય મંજુર કરવા હુકમ થતા પીએસઆઈ સ્વ. દલસુખભાઇ કાનજીભાઇ ચાવડાના દીકરા નીખીલભાઇ ધનસુખભાઇ ચાવડાને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના હસ્તે અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન પુર્વક ૨૫,૦૦,૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો 






Latest News