મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા પીએસઆઈના પરિવારને ૨૫ લાખની સરકારી સહાય ચૂકવાઈ


SHARE















મોરબી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા પીએસઆઈના પરિવારને ૨૫ લાખની સરકારી સહાય ચૂકવાઈ

ગુજરાત સરકાર ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવની જોગવાઇ મુજબ પોલીસ દળહોમગાર્ડસીવીલ ડીફેન્સ તથા જેલતંત્રના અધિકારી કે કર્મચારીઓ રાજયમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ -૧૯ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન કોરોનાથી સંક્રમીત થાય અને જો તે કર્મચારી કે અધિકારીના દુઃખદ અવસાન થાય તો તેવા કિસ્સામાં તેઓના આશ્રિત કુંટુંબને ૨૫,૦૦,૦૦૦ ની સહાય આપવાની જોગવાઇ થયેલ છે

 ત્યારે મોરબી જિલ્લામાં રીડર શાખામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ધનસુખભાઇ કાનજીભાઇ ચાવડાને કોરોના થયો હતો અને ગત તા .૧૩/૦૪ ના રોજ તેનું અવસાન થતા ગૃહ વિભાગના ઠરાવ મુજબ આશ્રિત કુંટુંબને સહાયની રકમ ચુકવવા માટે પોલીસ અધિક્ષક મોરબી તરફથી તાત્કાલીક દરખાસ્ત કરવામાં આવેલ હતી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર તરફથી સહાય મંજુર કરવા હુકમ થતા પીએસઆઈ સ્વ. દલસુખભાઇ કાનજીભાઇ ચાવડાના દીકરા નીખીલભાઇ ધનસુખભાઇ ચાવડાને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના હસ્તે અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન પુર્વક ૨૫,૦૦,૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો 






Latest News