મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર મદિરના પુજારીઓની જામીન અરજી કોર્ટે ફગાવી


SHARE















 

મોરબીના જડેશ્વર મદિરના પુજારીઓની જામીન અરજી કોર્ટે ફગાવી

મોરબીમાં આવેલ જડેશ્વર મદિરના બે પુજારીઓ સામે થોડા સમય પહેલા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યાર બાદ આરોપીના જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે

મોરબીના જડેશ્વર મદિરના રાજકોટમાં રહેતા ટ્રસ્ટી યશવંતભાઈ જોશીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજારી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામીએ મંદિરમાં કબજો કરી લીધો છે અને મંદિર ઉપરાંત ત્રણ બાથરૂમ, પાણીનું પરબ, પાણીનો મોટર વાળો રૂમ, સીસીટીવી રૂમ ,મુખ્ય ઓફીસ સહિતની મિલકત પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે જે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યાર બાદ મંદિરના બંને પૂજારીના રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી જો કે, સરકાર પક્ષે બન્ને આરોપીઓ તપાસમાં સહકાર આપતા ન હોવાની અને મંદિરના રૂમની ચાવી સોંપી ન હોવાની દલીલ કરવામાં આવી હતી અને જામીન સામે વાંધો રજૂ કરવામાં આવ્યો હતો જેથી કરીને કોર્ટે બન્ને પૂજારીની જામીન અરજી ના મંજુર કરી છે આ કેસમાં સરકારપક્ષે સંજય સી. દવે રોકાયેલ છે






Latest News