માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના એસપી રોડે બહુમાળીમાં ૧૦માં માળેથી નીચે પટકાતાં મજૂરનું મોત


SHARE













મોરબીના એસપી રોડે બહુમાળીમાં ૧૦માં માળેથી નીચે પટકાતાં મજૂરનું મોત

મોરબી નજીકના રવાપર ગામ પાસે રામકો બંગલોની સામેના ભાગમાં નવા બની રહેલ બહુમાળી બીલ્ડીંગમાંથી દસમા માળેથી નીચે પટકાતા મજૂર યુવાનનું મોત નીપજયું હતું.જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામ પાસે રામકો બંગલોની સામે સરદાર પટેલ રોડ (એસપી રોડ) આવેલ છે જ્યાં ઇડન ગાર્ડન એપાર્ટમેન્ટનું ૧૦ માળનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ઝુલો બાંધીને પ્લાસ્ટરનું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક ઝુલો તૂટી પડતા ૧૦ માં માળેથી પીરારામ અમરારામ જાટ (ઉંમર ૩૧) હાલ રહે.મોરબી રવાપર ગામ રામકો બંગલો સામે ઝૂંપડપટ્ટી મુળ રહે.રાજસ્થાનવાળો નીચે પટકાતા તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોય મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડાયો હતો.જયાંથી બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરાતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ અકસ્માતના બનાવની નોંધ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં બ્રાહ્મણની ભોજનશાળા પાસે રહેતાં જુસબભાઈ બચુભાઈ ચાનીયા નામના ૬૦ વર્ષના આધેડ બાઇક લઇને રાજકોટ હાઈવે ઉપરથી જતા હતા ત્યાં ટંકારા નજીક આવેલ ઓનેસ્ટ હોટલની પાસે તેમના બાઇકની આડે કોઈ પશુ ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા જુસબભાઈને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.

જ્યારે મોરબીના પંચાસર રોડ રાજનગર વિસ્તારમાં રહેતા પ્રમોદભાઈ ભગવાનદાસભાઈ સિધ્ધપુરા નામના ૭૬ વર્ષીય વૃદ્ધ મોરબીના સામાકાંઠે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રામેશ્વર મહાદેવ મંદિર પાસે બાઇકમાંથી નિચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા પ્રમોદભાઈ સિધ્ધપુરાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ ૨૫ વારિયા વિસ્તારમાં રહેતા કંચનબેન નિલેશભાઈ ચુડાસમા નામના ૫૨ વર્ષીય મહિલાને તેમના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેઓને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News