મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અષાઢી બીજે નીકળતી મચ્છુ માતાજીની રથયાત્રા આ વર્ષે પણ મોકૂફ


SHARE















મોરબીમાં અષાઢી બીજે નીકળતી મચ્છુ માતાજીની રથયાત્રા આ વર્ષે પણ મોકૂફ

હાલમાં કોરોનાને લઈને લોકોના મેળાવડા થાય તેવા કાર્યક્રમનો બંધ રાખવામાં આવી રહ્યા છે ત્યારે દરવર્ષે અષાઢી બીજના દિવસે મોરબીમાં રબારી- ભરવાડ સમાજના લોકો દ્વારા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે તે રથયાત્રા ગતવર્ષે બંધ રાખવામા આવી હતી તેવી જ રીતે ચાલુ વર્ષે પણ મોકૂફ રાખવામાં આવેલ છે હાલમાં સરકારી ગાઇડ લાઇન મુજબ વધુ લોકો ભેગા થાય તેવા કાર્યકમ યોજવાના નથી જેથી મોરબી મચ્છુ માતાજીની અષાઢી બીજની રથયાત્રા મોકુફ રાખવામાં આવે છે માટે ગુજરાતભરમાંથી આવતા લોકોને મહંત ગાડુભગત બીજલભગત, મચ્છુ મિત્ર મંડળ અને મચ્છુ માતાજીની જગ્યાના સંચાલકો વતી સરકારી ગાઇડ લાઇનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે

અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં મચ્છુ માતાજીની અષાઢી બીજની રથયાત્રા કાઢવામાં આવે છે તે સિવાય બીજી કોઈ રથયાત્રા કાઢવામાં આવતી નથી જો કે, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા શોભાયાત્રા કાઢવા તેમજ આ પર્વની ઉજવણી કરવા અંગે મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ દ્વારા સમગ્ર મોરબી જિલ્લા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામા અનુસાર સ્થાનિક વહીવટી તંત્રએ સબંધિત મંદિર/ટ્રસ્ટ/આયોજકો સાથે ચર્ચા કરી ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરવાનો રહેશે. અને રથયાત્રા નક્કી કરેલ માર્ગ ઉપર મહત્તમ ૫ (પાંચ) વાહન સાથે નિકળશે અને અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વિગેરે રથયાત્રામાં ભાગ લઇ શકશે નહીં અને રથયાત્રામાં ભાગ લેનાર વાહન ચાલકો, ખલાસીઓ, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો/સંચાલકો અને પુજાવિધિમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના ૪૮ કલાક પહેલા કરાવેલ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ હશે તેઓ જ સામેલ થઇ શકશે. અને કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે. જો કે, મોરબીમાં અષાઢી બીજના દિવસે કોઈ રથયાત્રા નીકળશે નહીં






Latest News