માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અષાઢી બીજે નીકળતી મચ્છુ માતાજીની રથયાત્રા આ વર્ષે પણ મોકૂફ


SHARE













મોરબીમાં અષાઢી બીજે નીકળતી મચ્છુ માતાજીની રથયાત્રા આ વર્ષે પણ મોકૂફ

હાલમાં કોરોનાને લઈને લોકોના મેળાવડા થાય તેવા કાર્યક્રમનો બંધ રાખવામાં આવી રહ્યા છે ત્યારે દરવર્ષે અષાઢી બીજના દિવસે મોરબીમાં રબારી- ભરવાડ સમાજના લોકો દ્વારા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે તે રથયાત્રા ગતવર્ષે બંધ રાખવામા આવી હતી તેવી જ રીતે ચાલુ વર્ષે પણ મોકૂફ રાખવામાં આવેલ છે હાલમાં સરકારી ગાઇડ લાઇન મુજબ વધુ લોકો ભેગા થાય તેવા કાર્યકમ યોજવાના નથી જેથી મોરબી મચ્છુ માતાજીની અષાઢી બીજની રથયાત્રા મોકુફ રાખવામાં આવે છે માટે ગુજરાતભરમાંથી આવતા લોકોને મહંત ગાડુભગત બીજલભગત, મચ્છુ મિત્ર મંડળ અને મચ્છુ માતાજીની જગ્યાના સંચાલકો વતી સરકારી ગાઇડ લાઇનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે

અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં મચ્છુ માતાજીની અષાઢી બીજની રથયાત્રા કાઢવામાં આવે છે તે સિવાય બીજી કોઈ રથયાત્રા કાઢવામાં આવતી નથી જો કે, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા શોભાયાત્રા કાઢવા તેમજ આ પર્વની ઉજવણી કરવા અંગે મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ દ્વારા સમગ્ર મોરબી જિલ્લા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામા અનુસાર સ્થાનિક વહીવટી તંત્રએ સબંધિત મંદિર/ટ્રસ્ટ/આયોજકો સાથે ચર્ચા કરી ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરવાનો રહેશે. અને રથયાત્રા નક્કી કરેલ માર્ગ ઉપર મહત્તમ ૫ (પાંચ) વાહન સાથે નિકળશે અને અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વિગેરે રથયાત્રામાં ભાગ લઇ શકશે નહીં અને રથયાત્રામાં ભાગ લેનાર વાહન ચાલકો, ખલાસીઓ, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો/સંચાલકો અને પુજાવિધિમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના ૪૮ કલાક પહેલા કરાવેલ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ હશે તેઓ જ સામેલ થઇ શકશે. અને કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે. જો કે, મોરબીમાં અષાઢી બીજના દિવસે કોઈ રથયાત્રા નીકળશે નહીં






Latest News