મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબી : અણીયારી ચોકડી પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતાં એકને સારવારમાં ખસેડાયો 


SHARE













મોરબી : અણીયારી ચોકડી પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતાં એકને સારવારમાં ખસેડાયો 

મોરબીની અણીયારી ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતા મૂળ અમદાવાદના યુવાનને હાલ સારવારમાં મોરબી ખસેડાયો છે. 

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા-હળવદ રોડ ઉપર આવેલ અણીયારી ચોકડી પાસે ટોલનાકા નજીક બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાયો હતો જે બનાવમાં અમદાવાદ તરફથી ગાંધીધામ જઈ રહેલ ટ્રકના ચાલક શૈલેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પરમાર (૨૬) રહે.મેઘાણીનગર ભાર્ગવ રોડ અમદાવાદ વાળાને ઇજાઓ થતાં તેને અહીંની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે.બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના ડેલ્ટા સીરામીકમાં ટ્રકમાંથી માલ ઉતરતા સમયે ટ્રક ઉપરથી પડી જતાં નિરેશભાઈ ઉદેસિંગભાઈ ભુરીયા નામના ૨૫ વર્ષીય મજૂરને ઇજાઓ થતા જેતે સમયે તેને અહીંની ગોકુલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બાદમાં વધુ સારવાર માટે તેને રાજકોટ લઇ જવાયો હોવાનું. મોરબી તાલુકા પોલીસ દ્વારા જાણવા મળેલ છે.

મારામારીમાં ઇજા 

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે થયેલ મારામારીના બનાવમાં ભરત અરજણભાઈ થરેસા નામના ૨૭ વર્ષના યુવાનને ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લવાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે ભરતને તેના ભાઈએ માર મારતા સારવાર માટે લવાયો હતો. જ્યારે મોરબીના નાનીવાવડી પાસે આવેલ સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા મંજુલાબેન ભવાનભાઈ કાવર નામના ૬૨ વર્ષના વૃધ્ધાને તેઓના ઘરના દરવાજામાં અથડાવાથી ઇજાઓ થતા તેમને મોરબી સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના સાયન્ટિફિક રોડ ઉપર આવેલ શિવ સોસાયટીમાં રહેતા અજય રતિલાલ અહેચાણીયા નામના ૨૬ વર્ષના યુવાને વજેપરમાં મોમાઈ ડેરી નજીક કોઈ દવા પી લેતાં તેને સારવારમાં સિવિલે ખસેડાયો હતો. જ્યારે મોરબીના વાવડી રોડ શ્રીજીપાર્ક વિસ્તારમાં રહેતી પૂજાબેન જીગ્નેશભાઈ વૈષ્ણવ નામની ૩૭ વર્ષીય મહિલાને અમદાવાદના ચતુરપાર્ક વિસ્તારમાં ગત તા.૭-૭ ના રોજ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે ગઈકાલે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.




Latest News