મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં ડુબી જતા એક બાળકનું મોત, એકનો બચાવ


SHARE











મોરબીની મચ્છુ નદીમાં ડુબી જતા એક બાળકનું મોત, એકનો બચાવ

 
મોરબી મચ્છુ નદીના પટમાં પાજ નજીક બે બાળકો ગયા હતા જે પૈકી એક ડુબી ગયો હતો. જે બનાવની જાણ મોરબી પાલિકાને કરવામાં આવી હતી.જોકે બે પૈકી એક બાળક પાજ નજીક પાણીના ખાડામાં ડુબી ગયો હતો.તેથી નદીના પાણીમાં ગરકાવ થયેલા એક બાળકને શોધવા માટે થઈને ફાયર વિભાગના સ્ટાફે કવાયત શરૂ કરી હતી અંતે મોરબી નગરપાલિકાની ટીમ દ્વારા બાળકને શોધવા કરવામાં આવેલ કવાયતના અંતે મચ્છુ નદીમાં ડૂબેલા બાળકના મૃતદેહને બહાર કાઢીને હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને બનાવની મોરબી ડિવિઝન બી ડીવીજન પોલીસે થતા તેમણે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
 
મોરબીની મચ્છુ નદીમાં પટમાં આવેલ પાજ નજીક આજે તા.૧૦ ના રોજ ગ્રીનચોક વિસ્તારમાં રહેતા બે બાળકો ગયા હતા જે પૈકી ડુબી જવાથી એક બાળકનું મોત નિપજેલ છે.જાણવા મળતી વિગતો મુજબ શહેરના ગ્રીનચોક વિસ્તારમાં આવેલી કંસારા શેરીમાં રહેતો હર્ષ દિનેશભાઇ વાસરાણી (ઉમર ૧૪) નામના બાળકનું ડુબી જવાથી મોત નિપજેલ છે. મૃતક હર્ષ વારસાણી સાંજે પારેખ શેરીમાં રહેતા તેના મિત્ર ઓમની સાથે મચ્છુ નદીમાં પટમાં આવેલી પાજ પાસે પાણી ભરેલ ખાડામાં ન્હાવા માટે ગયો હતો તે સમયે તે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.બાદમાં જાણ થતા મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમે મૃતક બાળક હર્ષ દિનેશભાઇ વાસરાણી (ઉમર ૧૪) રહે.કંસારા શેરી બજાર લાઇન મોરબીની લાશ નદીમાંથી બહાર કાઢીને પીએમ માટે સિવિલે ખસેડી હોવાનું જાણવા મળેલ છે અને પોલીસે રાબેતા મુજબની તપાસ હાથ ધરેલ છે.

મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બીપોઝીટીવ






Latest News