મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીમાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના હળવદ તાલુકાના મેરૂપર ગામે રહેતા માનસિક બીમાર યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં મોરબી લવાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજેલ છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા મેરૂપર ગામે રહેતા અરવિંદ કનુભાઈ તડવી નામના ૨૪ વર્ષીય યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે ગત તા.૧૧-૭ ના રોજ લાવવામાં આવ્યો હતો અને ટૂંકી સારવાર દરમિયાન ગઇકાલ તા.૧૨-૭ ના સાડા છએક વાગ્યાના અરસામાં અરવિંદ કનુભાઈ તડવી નામના ૨૪ વર્ષના યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસને જાણ થતા હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ કરતા ખૂલ્યું હતું કે, મૃતક અરવિંદ તડવીને માનસિક બીમાર હોય માનસીક અસ્થિરતાને લઈને તેણે કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તા.૧૧ ના રોજ તેને સારવાર માટે મોરબી લવાયો હતો અને ટૂંકી સારવાર બાદ ગઈકાલે તા.૧૨ ના રોજ તેનું મોત નિપજ્યું છે.

યુવાન રાજકોટ ખસેડાયો 

મોરબીના રાજપર ગામે રહેતો વિજય મગનભાઈ પરસોંડા નામનો ૨૦ વર્ષનો યુવાન શનાળા-રાજપર રોડ ઉપરથી તેનું બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેને વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાઓ થતાં ગત રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં તેને ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ ગંભીર ઈજાઓને લીધે હાલમાં વિજય પરસોંડાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના એન.એસ.લાવડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વૃધ્ધા સારવારમાં 

હળવદ તાલુકાના ટીકર(રણ) ખાતે રહેતા રૈયાબેન દેવાભાઈ ભરવાડ નામના ૬૧ વર્ષીય વૃદ્ધા ઘાટીલા અને ટીકરની વચ્ચેથી બાઈકના પાછળના ભાગે બેસીને જઇ રહ્યા હતા તે દરમિયાન તેમનું બાઈક સ્લીપ થઈ જતા જમણા પગે ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને અહિંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News