મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર ગામે રીષામણે બેઠેલ પત્ની વારંવાર તેડવા જવા છતા આવતી ન હોય યુવાને આયખુ ટુંકાવ્યુ


SHARE







વાંકાનેરના રંગપર ગામે રીષામણે બેઠેલ પત્ની વારંવાર તેડવા જવા છતા આવતી ન હોય યુવાને આયખુ ટુંકાવ્યુ

વાંકાનેર તાલુકાના રંગપર ગામે વાડીએ ગયેલા યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનુ મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આપઘાતના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આપઘાતના આ બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા પ્રવિણભાઇ ખીમાભાઇ ગોગીયા (ઉમર ૨૪) પોતાની વાડીએ ગયા હતા અને ત્યારે તેમણે ત્યાં ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ ડી.એ.જાડેજાએ આપઘાતના બનાવની તપાસ હાથ ધરતા ખૂલ્યું હતું કે મૃતક પ્રવીણભાઈના પત્ની છેલ્લા ઘણા સમયથી તેમના ત્રણ સંતાનોને લઈને રિસામણે ચાલ્યા ગયા હોય અને વારંવાર પ્રવીણભાઈ તેમને તેળવા માટે જતા હોય પરંતુ તે આવતી ન હોય તે બાબતનું મનોમન લાગી આવતા તેણે ઉપર અંતિમ પગલું ભરી લીધું હતું.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા જાગૃતીબેન ચિરાગભાઈ મકવાણા નામની ૨૮ વર્ષીય મહિલાને મોરબીના નગર દરવાજા પાસે આવેલ જે.પી.જવેલર્સ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેણીને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે મોરબીના લાલપર ગામે રહેતા નર્મદાબેન દિપચંદભાઇ નામની ૨૫ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં લીલાપર રોડ ઉપર તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત નર્મદાબેનને સારવાર માટે ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ દલવાડી ચોકડી પાસે આવેલા આનંદનગર વિસ્તારમાં રહેતા રાજુભાઇ રામભાઇ મકવાણા નામના ૩૨ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં પોલીસ નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા હાર્દિક કાનાભાઈ મકવાણા અને રવિ પેથાણી જાતે રાવળદેવ નામના બે ઈસમો દ્વારા તેની સાથે બોલાચાલી કરીને સિવિલ હોસ્પિટલમાં મારામારી કરવામાં આવી હતી તે દરમિયાન તે પડી જતા ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો પોલીસે આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.તેમજ માળીયા મિંયાણા ખાતે રહેતા રમજાનભાઈ યુનુસભાઇ મોવર નામના ૩૦ વર્ષીય યુવાનને માળીયા ખાતે મારામારીના બનાવમાં ઇજા થતાં તેને પણ અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News