માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યોજાનાર જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું છેલ્લી ઘડીએ સ્થળ કેમ બદલાયું !?


SHARE













વાંકાનેરમાં યોજાનાર જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું છેલ્લી ઘડીએ સ્થળ કેમ બદલાયું !?

વાંકાનેરમાં આગામી 75 માં સ્વાતંત્ર્ય દિનની જીલ્લા કક્ષાની ઉજવણી થવાની હતી જે કોઈ પણ કારણોસર રદ કરીને તેનું સ્થળ બદલાવીને મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ કરવામાં આવેલ છે જેથી કરીને રાજકારણમાં વિવાદનું ઘર બની ગયેલ વાંકાનેરની રાજકિત સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે કે પછી બીજું કોઈ કારણ છે તેને લઈને હાલમાં વાંકાનેરમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતાં. 

વાંકાનેરમાં આગામી 15 ઓગસ્ટ 75 માં સ્વાતંત્ર્ય દિનની જીલ્લા કક્ષાની ઉજવણી કરવાનું આયોજન થયું હતુંઅને આ બાબતે સ્થાનિક પ્રશાસન દ્વારા અમરસિંહજી શાળા ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતીપરંતુ છેલ્લી ઘડીએ કોઈ પણ કારણોસર વાંકાનેરમાં જીલ્લા કક્ષાની ઉજવણી રદ કરી મોરબી ખાતે નક્કી કરવામાં આવતા વાંકાનેરમાં શા માટે આ આયોજન રદ કરવામાં આવ્યું તેવા સવાલો ઉઠવા પામ્યા હતાં અને સ્વાતંત્ર્ય પર્વ જેવા દેશ ભક્તિ પર્વની ઉજવણીમાં પણ રાજકીય પ્રશ્નો ઉદભવે છે ! તેવા પણ તર્ક વિતર્કો વહેતા થયા હતાંત્યારે આ મુદ્દે વાંકાનેર પ્રાંત અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવતાં હોય છે તેમ જણાવ્યું હતુંપરંતુ શા માટે સ્થળ બદલાવવામાં આવ્યું તે બાબત સ્પષ્ટ જવાબ આપેલ નથી ત્યારે આ મુદ્દે વાંકાનેરનાં શહેરીજનોમાં પણ અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતાં.






Latest News