મોરબીના લાલપર ગામ પાસે યુવાન અને મકનસર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે જી.કે.હોટલના ગ્રાઉન્ડમાં હોળીની રાતે નાળિયેરની રમત રમતા યુવાન સહિતનાઓને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લેતા યુવાનનું મોત


SHARE













મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

મોરબીના માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામના પાટિયા નજીક ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.મૃતક યુવાનને કેન્સરની બીમારી હોવાથી તેણે ઉપરોકત પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં ખુલ્યું છે. 

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે હસમુખ જેન્તીભાઈ કવૈયા જાતે લુહાર (ઉમર ૩૮) રહે.રણછોડનગર મોરબી નામના યુવાને ઝેરી દવા પી લીધી હતી. તા.૧૩-૮ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં હસમુખે ઝેરી દવા પી લીધી હોય તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો અને ત્યાં આજે તા.૧૪ ના સવારના સમયે હસમુખ કવૈયાનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ તપાસ શરૂ કરી હતી જેમાં ખૂલ્યું હતું કે મૃતક હસમુખભાઈ કવૈયાને કેન્સરની બીમારી હોય તે બીમારીને લઇને તેણે કંટાળી જઇને ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.

મજુર સારવારમાં

મોરબીમાં હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ લક્ષગ્રેસ સીરામીક નામના યુનિટના સ્ટાફ કવાટરમાં રહીને ત્યાં જ મજુરી કામ કરતા હારૂભાઇ બિલાવલ નામના ૨૧ વર્ષીય યુવાનનો જમણો હાથ મશીનના કન્વ્યેનર બેલ્ટમાં આવી જતા તેને વધુ સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. જ્યારે માળીયા મીંયાણાનો રહેવાસી સદામહુસેન દિલાવર મોવર નામનો ૨૬ વર્ષીય યુવાન બાઈક લઈને લક્ષ્મીનગર ગામમી પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઇકની આડે કુતરૂ ઉતરતા અકસ્માતમાં માથાના ભાગે ઇજાઓ સાથે સદ્દામહુસૈનને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News