મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાંથી રોકડ-ગાડી લઈને ગુમ થયેલા યુવાને કર્યો ચોંકાવનાર ખૂલાશો !


SHARE













મોરબીમાંથી રોકડ-ગાડી લઈને ગુમ થયેલા યુવાને કર્યો ચોંકાવનાર ખૂલાશો !

મોરબી શહેરના સનાળા રોડ ઉપર અવધ-૪ પાસે શ્રીકુંજ સોસાયટીમાં રહેતો યુવાન પોતાના ઘરેથી રોકડા અઢી લાખ રૂપિયા અને તેની ગાડી લઈને નીકળી ગયેલ હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયો છે જેથી યુવાનની પત્નીએ પતિ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી જે યુવાન હાલમાં મળી આવેલ છે અને કામધંધો ન હોવાથી પત્ની મેણાં ટોણાં મારતી હોવાથી તે ઘરેથી ચાલ્યો ગયો હતો તેવું યુવાને પોલીસને જણાવ્યુ છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ અવધ-૪ સોસાયટી પાસે કેનાલ રોડે શ્રીકુંજ સોસાયટીમાં રહેતા ગીતાબેન પ્રબોધભાઈ કાલરીયાએ તેઓના પતિ પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા (૪૮) પોતાના ઘરેથી તા. ૧૬/૭ ના રોજ સવારે સાડા દસ વાગ્યે રોકડા રૂપિયા અઢી લાખ અને તેની ગાડી લઈને નીકળ્યા છે અને ત્યાર બાદ તેના પતિ ગુમ થયા હોવા અંગેની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ગુમા થયેલા યુવાનને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં ગુમ થયેલ પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા મળી આવેલ છે ત્યારે આ આંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ.ઝાપડિયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ગુમ થયેલા પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા કામધંધો કરતાં ન હતો જેથી કરીને પત્ની મેણાં ટોણાં મારતી હતી જે તેને મનોમન લાગી આવ્યું હતું અને તે ઘરેથી ચાલ્યા ગયા હતા અને મોરબીથી નીકળીને તે અમદાવાદ ખાતે તેના સબંધીના ઘરે ગયા હતા જો કે, સબંધીને પ્રબોધભાઈ મોરબીથી ગુમ થયા છે તેવી જાણ કરી હતી જેથી કરીને તેના મોટાભાઇ ત્યાં જઈને તેને મોરબી લઈને આવ્યા છે જો કે, હાલમાં પ્રબોધભાઈ તેના મોટાભાઈનાં ઘરે જ રહે છે..!






Latest News