મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેરના બોકડથંભા પાસે ટ્રેનની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત


SHARE













 

વાંકાનેરના બોકડથંભા પાસે ટ્રેનની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ બોકડથંભા ગામની સીમમાંથી પસાર થતી ટ્રેનની હડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી દલડી રેલવે સ્ટેશનના સ્ટેશન મસ્તરે આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા બોકડથંભા ગામની સીમમાંથી ઓખા અરુણા કુલમ ટ્રેન ગઈકાલે બપોરે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યો ૩૫ વર્ષનો યુવાન તે ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી ગંભીર રીતે ઇજાઓ થઈ હોવાના કારણે તે યુવાનનું ઘટના નીપજ્યું હતું અને આ બનાવની દલડી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર મનસુખભાઈ શંકરભાઈ બરાસરા દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનના મૃતદેને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા બાબુભાઈ હીરાભાઈ ઝાલા જાતે વાલ્મિકી (ઉંમર ૫૭) પોતાના ઘરે આંબેડકર નગર શેરી નં-૫ ખાતે હતા ત્યારે તેઓને હાર્ટ એટેકનો હુમલો આવી જતા તે પડી ગયા હતા અને ત્યારબાદ તેને વિકીભાઈ ઝાલા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરતા આ બનાવવાની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News