મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

એડવોકેટનો SP સમક્ષ ઘા: વાંકાનેરના સરતાનપરમાં રાજકીય આગેવાન દ્વારા ખુલ્લે થતું દારૂનુ વેચાણ બંધ કરવો !


SHARE













એડવોકેટનો SP સમક્ષ ઘા: વાંકાનેરના સરતાનપરમાં રાજકીય આગેવાન દ્વારા ખુલ્લે થતું દારૂનુ વેચાણ બંધ કરવો !

મોરબી જીલ્લામાં દારૂ વેચાઈ છે તેવા આક્ષેપ ઘણા કરવામાં આવે છે તેવામાં વાંકાનેરના એડ્વોકેટ દ્વારા એસપીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રાજકીય આગેવાન દ્વારા ખુલ્લે આમ દારૂનુ વેચાણ કરવામાં આવી રહ્યું છે અને ખનીજ ચોરી તેમજ સરકારી જમીનમાં ગેરકાયદેસર કબજો કરેલ છે જેથી કરીને તાત્કાલીક પગલા લેવામાં આવે તેવી માંગ કરેલ છે

વાંકાનેરના જીનપરા જકાત નાકા પાસે ક્રિષ્ના ચેમ્બર્સમાં દુકાન ધરાવતા એડ્વોકેટ મહેશભાઈ દેવજીભાઈ ગણેશીયાએ એસપીને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, સરતાનપરા ગામનાં સરપંચ તથા ગ્રામજનો દ્વારા તેને હકીકત આપવામાં આવી છે કે, વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે છેલ્લા ઘણા સમયથી સરતાનપર ગામના રાજકીય આગેવાન અને તાલુકા પંચાયતના સદસ્ય દેવુબેન હનુભાઈના પુત્ર દેવાભાઈ હનુભાઈ તથા ચંદુભાઈ હનુભાઈ જે સરતાનપર ગામે ૨હે છે તે સરતાનપર ગામે સરકારી જમીનમાં સેન્સો ચોકડી પાસે પાવર હાઉસ સામે સરકારી જમીનમાં ૨૦ થી ૨૫ ગેરકાયદેસર રૂમો બનાવેલ છે અને ગામની પ્રાથમીક શાળાની બાજુમાં ગેરકાયદેસ ઓફીસનુ બાંઘકામ કરેલ છે અને દેવાભાઈ હનુભાઈ વીંઝવાડીયા દ્વારા પોતાના માણસો રાખીને ત્યાં દારૂનું વેચાણ કરવામાં આવે છે

તેમજ સાઈન્ટીફીકા કારખાનાની સામે ગેરકાયદેસર દુકાન બનાવી ત્યાં ચંદુભાઈ હનુભાઈ તથા હનુભાઈ ભીમાભાઈ દેશી તથા અંગ્રેજી દારૂનું વેચાણ કરી રહ્યા છે તેમજ સરતાનપર ગામે સરકારી ખરાબામાં ખનીજ ચોરી કરાવી અને પાણી માલ ઢોરને પીવા માટેનુ હોય તેનું ગે૨કાયદેસર વેચાણ કરે છે જેથી કરીને આ માથાભારે શખ્સોની સામે સરતાનપર ગામના ગ્રામજનોએ .૧૬-૩ ના રોજ પીઆઇને તથા તા. ૧૭-૩ ના રોજ મામલતદારને લેખીત ૨જુઆત કરવામાં આવી છે જો કે, કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને તાજેતરમાં ગુજરાતમાં લઠા કાંડ જેવી ઘટના બનેલ છે ત્યારે દારૂનું વેચાણ બંધ કરાવવામાં આવે અને સરકારી જમીનો ઉપર ગેરકાયદે બનાવવામાં આવેલ ઓરડીઓ સહિતના દબાણોને તોડી પાડવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News