મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વ. મહારાજા દિગ્વિજયસિંહજીને વૃક્ષારોપણ કરીને આપી શ્રદ્ધાંજલી


SHARE







વાંકાનેરના સ્વ. મહારાજા દિગ્વિજયસિંહજીને વૃક્ષારોપણ કરીને આપી શ્રદ્ધાંજલી

વાંકાનેરના સ્વ. મહારાજા રાજ સાહેબ દિગ્વિજયસિંહજી ભારત દેશના પ્રથમ પર્યાવરણ મંત્રી રહી ચૂકેલ હતા અને ભારત દેશમાં પ્રથમ પર્યાવરણ ખાતુ ઉભુ કરનાર મંત્રીની યાદીમાં ગયા વર્ષે વૃક્ષારોપણ અભિયાન વાંકાનેરના મહારાજા કેશરિદેવસિંહ ઝાલા દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને ૪૬૦૦૦ વૃક્ષો વાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી તેવી જ રીતે ફરીથી આ વર્ષે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ અભિયાન ઉપાડીને ૨૮૦૦૦ વૃક્ષો મોટી સંખ્યામાં વાવી આ વર્ષે પણ સ્વ મહારાજા રાજ સાહેબ દિગ્વિજયસિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરેલ હતું જેમાં વાંકાનેર શહેર તથા તાલુકાના ભાજપના તમામ કાર્યકર્તાઓ, જુદીજુદી સંસ્થાઓ અને સ્કૂલો તેમજ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનેલ છે






Latest News