મોરબી નજીક કારખાના પાસે ઝાડ સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ
Breaking news
Morbi Today

નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચાડવા ખેડૂતોએ અધિકારીઓને આપ્યું અલ્ટિમેટમ


SHARE











નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચડવા ખેડૂતોએ અધિકારીઓને આપ્યું અલ્ટિમેટમ

મોરબી જિલ્લામાં માળીયા કેનાલના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોને હાલમાં પાણીની જરૂરિયાત છે ત્યારે કેનાલ તળિયા ઝાટક છે જેથી ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જેથી કરીને નર્મદા નિગમના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને પાણી પહોચડવાની ખાતરી આપી છે જેથી ખેડૂતોએ અધિકારીઓને નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચડવા માટેનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો ૨૩ મી સુધીમાં પાણી નહિ આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે


મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ખેડૂતોએ પ્રથમ વરસાદ થતાની સાથે જ પોતાના ખેતરોની અંદર જુદા જુદા પાકની વાવણી કરી નાખી હતી અને ત્યાર બાદ પાણી ન મળવાના કારણે હાલમાં પાક મુરજાઇ રહ્યો છે ત્યારે સિંચાઈનું પાણી મળે તે માટે ૨૧ મી થી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જો કે, નર્મદા નિગમના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને પાણી પહોચડવાની ખાતરી આપી છે જેથી ૨૧ એવ આંદોલન કરવાના બદલે ખેડૂતોએ અધિકારીને ૨૩ મી સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો ત્યાં સુધીમાં પાણી નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે






Latest News