મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચાડવા ખેડૂતોએ અધિકારીઓને આપ્યું અલ્ટિમેટમ


SHARE













નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચડવા ખેડૂતોએ અધિકારીઓને આપ્યું અલ્ટિમેટમ

મોરબી જિલ્લામાં માળીયા કેનાલના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોને હાલમાં પાણીની જરૂરિયાત છે ત્યારે કેનાલ તળિયા ઝાટક છે જેથી ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જેથી કરીને નર્મદા નિગમના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને પાણી પહોચડવાની ખાતરી આપી છે જેથી ખેડૂતોએ અધિકારીઓને નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચડવા માટેનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો ૨૩ મી સુધીમાં પાણી નહિ આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે


મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ખેડૂતોએ પ્રથમ વરસાદ થતાની સાથે જ પોતાના ખેતરોની અંદર જુદા જુદા પાકની વાવણી કરી નાખી હતી અને ત્યાર બાદ પાણી ન મળવાના કારણે હાલમાં પાક મુરજાઇ રહ્યો છે ત્યારે સિંચાઈનું પાણી મળે તે માટે ૨૧ મી થી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જો કે, નર્મદા નિગમના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને પાણી પહોચડવાની ખાતરી આપી છે જેથી ૨૧ એવ આંદોલન કરવાના બદલે ખેડૂતોએ અધિકારીને ૨૩ મી સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો ત્યાં સુધીમાં પાણી નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે




Latest News