વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં યમરાજના ધામા: અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા


SHARE













વાંકાનેર શહેરમાં યમરાજના ધામા: અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેર શહેરના જુદાજુદા ત્રણ વિસ્તારમાં બે યુવાન સહિત કુલ ત્રણ વ્યક્તિઓએ આપઘાત કરેલ છે જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ડેડબોડીઓને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે અને અપમૃત્યુના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવન નોંધા કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર નવાપરા વિસ્તારમાં આવેલા ખડીપાડામાં રહેતા ભાવનાબેન હર્ષભાઈ ધોળકિયા (ઉંમર 36) કોઈ કારણોસર ઘરે ગળે ફાંસો ખાય આપઘાત કર્યો હતો તો વાંકાનેરના ગાયત્રી ચોક નજીક ટાંકી વાળી શેરીમાં રહેતા સંદીપભાઈ જગદીશભાઈ ગોરીયા (ઉંમર 26) કોઈ કારણસર ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા ઓમસિહ ઈશ્વરસિંહ રાજપુત (ઉંમર 20) એ કોઈ કારણસર ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આમ જુદાજુદા ત્રણ વિસ્તારમાંથી ત્રણેય ડેડબોડીને પીએમ માટે વાંકાનેર સિવિલે ખસેડવામાં આવી હતી અને તમામ કેસની વાંકાનેર શહેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવી રહી છે






Latest News