મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લોહાણા યુવાનની હત્યાના ગુનામાં સરફરાજ મકવાણાની ધરપકડ


SHARE







વાંકાનેરમાં લોહાણા યુવાનની હત્યાના ગુનામાં સરફરાજ મકવાણાની ધરપકડ

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનની છરીના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે ત્યાર બાદ આ ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ફરિયાદ નોંધાઈ હતી જેમાં તા.૧૧ ના રાત્રીના એક વાગ્યે વાંકાનેર અમરનાથ સોસાયટીના નાકે અમીત ઉર્ફે લાલો અશ્વીનભાઇ કોટેચાની પૈસાની લેવડ દેવડ બાબતે આરોપી ઇમરાન ફારૂક આરબ તથા ઉનાયત અયુબ પીપરવાડીયા રહે. વાંકાનેર વાળાએ છરી ગુપ્તીથી આડેધડ ધા મારી હત્યા કરી હતી આ બનાવમાં આરોપી ઇમરાન તથા ઇનાયતને પોલીસે અટક કરીને જેલ હવાલે કરેલ છે ત્યાર બાદ આ ગુનાની તપાસ સીપીઆઈ બી.પી.સોનારાને સોપવામાં આવી હતી અને આ ગુનામાં નાશી ગયેલ આરોપી સરફરાજ હુસેનભાઇ મકવાણા રહે. આશીયાના સોસાયટી વાંકાનેર વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપી સરફરાજ હુસેન મકવાણા ચોટીલાથી થાનગઢ તરફ જનાર છે તેવી માહિતી મળી હતી જેના આધારે પોલીસે ચોટીલા થાનગઢ ચોકડી ખાતે વોચ રાખી હતી અને ત્યાંથી આરોપીને પકડીને પોલીસે કોરોના ટેસ્ટ કરાવી તેની ધરપકડ કરેલ છે અને આરોપીના રીમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News