મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળીયા(મી)નાં પિપળીયા ચાર રસ્તા પાસે આવેલ ઝેરી ધુમાડા ઓકતા કારખાનને બંધ કરવા મામલતદારને રજૂઆત


SHARE





માળીયા(મી)નાં પિપળીયા ચાર રસ્તા પાસે આવેલ ઝેરી ધુમાડા ઓકતા કારખાનને બંધ કરવા મામલતદારને રજૂઆત

માળીયા તાલુકાનાં પિપળીયા ચાર રસ્તાથી સરવડ ગામ વચ્ચે આવેલા કારખાનામાં પ્લાસ્ટીક તથા વાહનોના ટાયર ઓગાળવાનો તથા નવા ટાયરો બનાવવાની કામગીરી કરવામાં આવે છે જેથી કરીને તેમાથી ઝેરી ધુમાડાઓ સતત ઉડતા હોય છે જે લોકોને તેમજ ખેતીના પાકને નુકશાની કરે છે જેથી કરીને આ કારખાનામાં ફેરફાર કરવામાં આવે અથવા તો તેને સીલ કરવામાં આવે તેવી માંગ સરદારનગર આગેવાન દ્વારા કરવામાં આવી છે અને આ મુદે માળીયાના મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

માળીયા તાલુકાનાં સરદારનગર (સરવડ) ગામે રહેતા કૌશિકકુમાર એસ. લોદરીયાએ માળીયાના મામલતદારને લેખિતમાં રજૂઆત કરીને વાતાવરણ પ્રદુષણ કરતી ફેકટરીનો પ્લાન્ટમાં ફે૨ફાર કરાવવા અથવા સંપુર્ણ સીલ કરવાની માંગ કરેલ છે તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, માળીયા-જામનગ૨ હાઈવેની મધ્યમાં પિપળીયા ચાર રસ્તા અને સરવડ ગામનું લોકેશન આવે છે ત્યાં બોસ રબ્બર નામની ફેકટરી આવેલી છે જેમાં પ્લાસ્ટીક તથા વાહનોના ટાયર ઓગાળવાનો તથા નવા ટાયરો બનાવવાની કામગીરી કરવામાં આવે છે જેથી ઝેરી ધુમાડાઓ સતત ઉડતા હોય છે માટે વાહન ચાલકો સહિતનાને ગુંગળામણનો અનુભવ થાય છે પરંતુ કાયમી વસવાટ કરતાં લોકોને ભારે મુશકેલીનો સામનો કરવા પડી રહ્યો છે જેમાં પિપળીયા, સરવડ, ચાંચાવદરડા, તરઘરી, મહેન્દ્રગઢ, મોટાભેલા વગેરે ગામડાઓ આવે છે તે લોકોની હાલત શું થતી હશે તે પ્રશ્ન છે આ ધુમાડાથી શ્વાસોશ્વાસની ક્રિયા વખતે ગુંગળામણ અનુભવતા હોય છે અને બિમાર લોકો, પ્રેગનન્ટ મહીલાઓ, બાળકો સહિતના લોકોને હેરાન થવું પડે છે ત્યારે પીપળીયા ગામે કારખાનાની નજીકમાં જ આઈ.ટી.આઈ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે ત્યા અભ્યાસ અર્થે આવતા બાળકોની શુ હાલત થતી હશે ? ખેડૂતોના ખેતીના પાકને કેટલું નુકશાન થતું હશે ? આવા અનેક સવાલો છે ત્યારે સતત પ્રદૂષણ ઓકતા કારખાનામાં ફેરફાર કરવામાં આવે અથવા તો તેને સીલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News