મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને હળવદમાં બે કેન્દ્રિય મંત્રીની હાજરીમાં યોજાશે ગુજરાત ગૌરવ યાત્રા-સભાઓ


SHARE













મોરબી, વાંકાનેર અને હળવદમાં બે કેન્દ્રિય મંત્રીની હાજરીમાં યોજાશે ગુજરાત ગૌરવ યાત્રા-સભાઓ

ગુજરાત ગૌરવ યાત્રા'નું સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આ 'ગુજરાત ગૌરવ યાત્રા'નું પ્રસ્થાન દ્વારકાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગઇકાલે પ્રારંભ કરાવ્યો હતો જે યાત્રા મોરબી જીલ્લામાં આવી રહી છે અને મોરબી, વાંકાનેર તેમજ હળવદમાં કેન્દ્રના બે મંત્રીની હાજરીમાં સભાઓ યોજવાની છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ 'ગુજરાત ગૌરવ યાત્રા' શરૂ કરવી છે જે પડધરી તાલુકામાંથી મોરબી જીલ્લામાં આવશે અને ટંકારા, લજાઈ, વાંકાનેર, ઢુવા, મકનસર, લીલપર, રવાપર, મોરબી, મહેન્દ્રનગર, ચરાડવા અને હળવદ સુધી આ 'ગુજરાત ગૌરવ યાત્રા' જવાની છે ત્યારે આ યાત્રા માટે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા તેમજ મહામંત્રી જયુભાઈ જાડેજા સહિતની ટિમ દ્વારા જાહેમત ઉઠાવવામાં આવી રહી છે

મોરબી શહેરમાં 'ગુજરાત ગૌરવ યાત્રા' આવશે તેના ભવ્ય સ્વાગત માટે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિશીપભાઈ કૈલા સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કાલે મોરબીમાં રવાપર રોડ, ગાંધીચોક, નહેરૂ ગેઇટ ચોક થઈને યાત્રા સામાકાંઠે જવાની છે અને ત્યારે નહેરૂ ગેઇટ ચોકમાં કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા અને પિયુષ ગોયેલ હાજર રહેવાના છે અને તેની હાજરીમાં મોરબી, વાંકાનેર અને હળવદમાં સભાઓ પણ યોજવાની છે જેમાં મોરબી ખાતે સાંજે ચાર વાગ્યે નહેરૂ ગેઇટ ચોકમાં સભા યોજાશે






Latest News