મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગુજરાત ગૌરવ યાત્રાનો રૂટ કોઈએ બદલાવ્યો નથી: રાજભા ઝાલાની સ્પષ્ટતા


SHARE







વાંકાનેરમાં ગુજરાત ગૌરવ યાત્રાનો રૂટ કોઈએ બદલાવ્યો નથી: રાજભા ઝાલાની સ્પષ્ટતા

વાંકાનેરમાં ગુજરાત ગૌરવ યાત્રા યોજાઇ હતી ત્યારે યાત્રાનો રુટ છેલ્લી ઘડીએ ફેરવવામાં આવ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો ત્યારે રુટ બાબતે વાંકાનેર વિધાનસભા સીટના સભા,‌ સરઘસ અને રેલીના ઇન્ચાર્જ એવા રાજભા ઝાલાએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, રૂટમાં કોઈ ફેરફાર કરેલ નથી બધા જ આક્ષેપો ખોટા છે

ગુજરાત ગૌરવ યાત્રા મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવી હતી ત્યારે હોસ્પિટલ બાજુ થઈને સભા એસટીએચએલ સુધી જવાના બદલે અન્ય રુટ ઉપરથી સભા સ્થળ સુધી યાત્રા પહોચી હતી તેવો આક્ષેપો વાંકાનેરના લોકોએ કર્યો હતો અને વાંકાનેર ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણીએ પણ જે વિડીયો સોશિઅલ મીડિયામાં મૂક્યો હતો તેમાં તેને જણાવ્યુ હતું કે, સ્વાગત માટેની આયોજન પ્રદેશના ઉપાધ્યક્ષ જયંતિભાઈ પટેલની સાથે વાત કરીને કર્યું હતું જો કે, આ રૂટ મુદે વાંકાનેર વિધાનસભા સીટના સભા,‌ સરઘસ અને રેલીના ઇન્ચાર્જ એવા રાજભા ઝાલાએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, બધા જ આક્ષેપ તદ્દન પાયા વિહોણા છે

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, રુટ અગાઉથી નક્કી હતો અને તેની મંજૂરી મામલતદાર કચેરી પાસેથી અગાઉથી લેવામાં આવેલી હતી અને તે મંજૂરીમાં જે રૂટ હતો ત્યાંથી જ યાત્રા આગળ વધીને સભા સ્થળે પહોચી હતી અને પ્રદેશ ભાજપમાંથી જે સૂચના આપવામાં આવી હતી તે મુજબની જ વ્યવસ્થા વાંકાનેરમાં કરવામાં આવી હતી અને યાત્રાના રુટમાં કોઈ ફેરફાર કરવામા આવ્યો નથી જેથી કરીને રૂટ બદલાવવાની જે વાતો કરવામાં આવી રહી છે તે પાયા વિહોણી છે






Latest News