મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

મોરબીના વાવડીથી માનસર સુધીના ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની માંગ


SHARE





મોરબીના વાવડીથી માનસર સુધીના ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની માંગ

મોરબી તાલુકાનાં નાની વાવડીથી માનસર સુધીના ગામના ખેડૂતોએ હાલમાં તેઓના ખેતરોમાં વાવણી કરી નાખી છે અને વરસાદ ખેચાયો છે ત્યારે સીંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતો હેરાન છે ત્યારે સિંચાઈ વિભાગમાં રજુઆત કરીને આગેવાની પાણી આપવાની માંગ કરેલ છે

મોરબી તાલુકાનાં ખાખરાળા ગામના એચ.ડી. વડાવીયાએ હાલમાં સિંચાઈ વિભાગના અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નાની વાવડીથી માનસર સુધીના વિસ્તારમાં ૧૪ ગામ આવે છે જે ગામના ખેડૂતોને સિંચાઇ માટે પાણીના મળવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે આ ૧૪ ગામના ખેડૂતો ઘણા સમયથી પાણી માટે સરકાર અને સરકારી બાબુઓને રજૂઆત કરી રહયા છે તેમ છતાં પણ પાણી આપવામાં આવતું નથી જેથી અગાઉ ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું ત્યારે પેટા ચૂંટણીનાં સમયે જનતાને જે વચનો આપેલા છે તેને હાલમાં ભાજપના નેતા ભૂલી ગયા છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે વહેલામાં વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News