મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વાવડીથી માનસર સુધીના ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની માંગ


SHARE







મોરબીના વાવડીથી માનસર સુધીના ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની માંગ

મોરબી તાલુકાનાં નાની વાવડીથી માનસર સુધીના ગામના ખેડૂતોએ હાલમાં તેઓના ખેતરોમાં વાવણી કરી નાખી છે અને વરસાદ ખેચાયો છે ત્યારે સીંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતો હેરાન છે ત્યારે સિંચાઈ વિભાગમાં રજુઆત કરીને આગેવાની પાણી આપવાની માંગ કરેલ છે

મોરબી તાલુકાનાં ખાખરાળા ગામના એચ.ડી. વડાવીયાએ હાલમાં સિંચાઈ વિભાગના અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નાની વાવડીથી માનસર સુધીના વિસ્તારમાં ૧૪ ગામ આવે છે જે ગામના ખેડૂતોને સિંચાઇ માટે પાણીના મળવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે આ ૧૪ ગામના ખેડૂતો ઘણા સમયથી પાણી માટે સરકાર અને સરકારી બાબુઓને રજૂઆત કરી રહયા છે તેમ છતાં પણ પાણી આપવામાં આવતું નથી જેથી અગાઉ ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું ત્યારે પેટા ચૂંટણીનાં સમયે જનતાને જે વચનો આપેલા છે તેને હાલમાં ભાજપના નેતા ભૂલી ગયા છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે વહેલામાં વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News