મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વાવડીથી માનસર સુધીના ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની માંગ


SHARE













મોરબીના વાવડીથી માનસર સુધીના ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની માંગ

મોરબી તાલુકાનાં નાની વાવડીથી માનસર સુધીના ગામના ખેડૂતોએ હાલમાં તેઓના ખેતરોમાં વાવણી કરી નાખી છે અને વરસાદ ખેચાયો છે ત્યારે સીંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતો હેરાન છે ત્યારે સિંચાઈ વિભાગમાં રજુઆત કરીને આગેવાની પાણી આપવાની માંગ કરેલ છે

મોરબી તાલુકાનાં ખાખરાળા ગામના એચ.ડી. વડાવીયાએ હાલમાં સિંચાઈ વિભાગના અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નાની વાવડીથી માનસર સુધીના વિસ્તારમાં ૧૪ ગામ આવે છે જે ગામના ખેડૂતોને સિંચાઇ માટે પાણીના મળવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે આ ૧૪ ગામના ખેડૂતો ઘણા સમયથી પાણી માટે સરકાર અને સરકારી બાબુઓને રજૂઆત કરી રહયા છે તેમ છતાં પણ પાણી આપવામાં આવતું નથી જેથી અગાઉ ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું ત્યારે પેટા ચૂંટણીનાં સમયે જનતાને જે વચનો આપેલા છે તેને હાલમાં ભાજપના નેતા ભૂલી ગયા છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે વહેલામાં વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News