મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબીના વાવડીથી માનસર સુધીના ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની માંગ


SHARE













મોરબીના વાવડીથી માનસર સુધીના ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની માંગ

મોરબી તાલુકાનાં નાની વાવડીથી માનસર સુધીના ગામના ખેડૂતોએ હાલમાં તેઓના ખેતરોમાં વાવણી કરી નાખી છે અને વરસાદ ખેચાયો છે ત્યારે સીંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતો હેરાન છે ત્યારે સિંચાઈ વિભાગમાં રજુઆત કરીને આગેવાની પાણી આપવાની માંગ કરેલ છે

મોરબી તાલુકાનાં ખાખરાળા ગામના એચ.ડી. વડાવીયાએ હાલમાં સિંચાઈ વિભાગના અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નાની વાવડીથી માનસર સુધીના વિસ્તારમાં ૧૪ ગામ આવે છે જે ગામના ખેડૂતોને સિંચાઇ માટે પાણીના મળવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે આ ૧૪ ગામના ખેડૂતો ઘણા સમયથી પાણી માટે સરકાર અને સરકારી બાબુઓને રજૂઆત કરી રહયા છે તેમ છતાં પણ પાણી આપવામાં આવતું નથી જેથી અગાઉ ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું ત્યારે પેટા ચૂંટણીનાં સમયે જનતાને જે વચનો આપેલા છે તેને હાલમાં ભાજપના નેતા ભૂલી ગયા છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે વહેલામાં વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News