મોરબીના વાવડીથી માનસર સુધીના ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની માંગ
SHARE








મોરબીના વાવડીથી માનસર સુધીના ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની માંગ
મોરબી તાલુકાનાં નાની વાવડીથી માનસર સુધીના ગામના ખેડૂતોએ હાલમાં તેઓના ખેતરોમાં વાવણી કરી નાખી છે અને વરસાદ ખેચાયો છે ત્યારે સીંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતો હેરાન છે ત્યારે સિંચાઈ વિભાગમાં રજુઆત કરીને આગેવાની પાણી આપવાની માંગ કરેલ છે
મોરબી તાલુકાનાં ખાખરાળા ગામના એચ.ડી. વડાવીયાએ હાલમાં સિંચાઈ વિભાગના અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નાની વાવડીથી માનસર સુધીના વિસ્તારમાં ૧૪ ગામ આવે છે જે ગામના ખેડૂતોને સિંચાઇ માટે પાણીના મળવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે આ ૧૪ ગામના ખેડૂતો ઘણા સમયથી પાણી માટે સરકાર અને સરકારી બાબુઓને રજૂઆત કરી રહયા છે તેમ છતાં પણ પાણી આપવામાં આવતું નથી જેથી અગાઉ ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું ત્યારે પેટા ચૂંટણીનાં સમયે જનતાને જે વચનો આપેલા છે તેને હાલમાં ભાજપના નેતા ભૂલી ગયા છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે વહેલામાં વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

