મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

પશ્ચિમ બંગાળમાં પુલ તૂટ્યો ત્યારે બોલ્યા તેવું મોરબીમાં કેમ મોદી ન બોલ્યા ?, SC-HC ના સિટિંગ જજને તપાસ કરે તેવી માંગ: શક્તિસિંહ ગોહિલ


SHARE





પશ્ચિમ બંગાળમાં પુલ તૂટ્યો ત્યારે બોલ્યા તેવું મોરબીમાં કેમ મોદી ન બોલ્યા ?, SC-HC ના સિટિંગ જજને તપાસ કરે તેવી માંગ: શક્તિસિંહ ગોહિલ

મોરબીમાં જુલતો પુલ તૂટી ગયો છે જેથી કરીને કોંગ્રેસનાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે મોરબી આવ્યા હતા અને તેઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સ્વજન ગુમાવનાર તેમજ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજી હતી તેમાં તેઓએ ઝૂલતા ફૂલની ઘટનાની સુપ્રીમ કોર્ટે કે પછી હાઇકોર્ટના સિટિંગ જજની આગેવાની હેઠળ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને તમામ દોષીતોની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી આટલુ જ નહીં મોદીએ પશ્ચિમ બંગાળમાં પુલ તૂટ્યો ત્યારે જે સંબોધન કર્યું હતું તેનો વિડીયો બતાવીને આવા શબ્દો વડાપ્રધાને મોરબીમાં કેમ વાપર્યા નહીં તેવો અણીદાર સવાલ કર્યો હતો

મોરબીની મચ્છુ નદી ઉપર ૧૪૦ વર્ષ પહેલા બનાવવામાં આવેલ જુલતો પુલ છેલ્લા વર્ષોથી લાખો કરોડો લોકોને ત્યાં હરવા ફરવા માટેનું એક સ્થળ સમાન બની ગયો હતો જોકે આ જુલતો પુલ રવિવારની સાંજે ધડાકાભેર તૂટી પડ્યો ત્યારે ૧૩૫ લોકો માટે મોતનું કારણ અને અનેક લોકોને ઈજા પહોંચાડનાર બની ગયો છે તેના પાછળ જવાબદાર કોણ ? તે સૌથી મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે અને અને આટલું જ નહીં આ બનાવ બનવા પાછળ મુખ્ય કારણ ક્યું ? તે પણ સવાલ હાલમાં મોરબીમાં ચર્ચા રહ્યો છે ત્યારે કોંગ્રેસનાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે મોરબી આવ્યા હતા અને તેઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સ્વજન ગુમાવનાર તેમજ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેને ભાજપ સરકારને આડે હાથે લીધી હતી અને ઝૂલતા પૂલની ઘટનાની સુપ્રીમ કોર્ટે કે પછી હાઇકોર્ટના સિટિંગ જજની આગેવાની હેઠળ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને તમામ દોષીતોની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી તેમજ થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળમાં જે પુલ તૂટવાની ઘટના બની હતી ત્યારે નરેન્દ્ર મોદીએ જે શબ્દો વાપર્યા હતા તેવો વિડીયો બતાવીને કહ્યું હતું કે, આવું રાજકારણ ન કરવું જોઈએ તે દેશના વડાપ્રધાન  છે અને તેના માટે દરેક રાજ્યો એક સરખા જ હોવા જોઈએ અને આ બનાવમાં માત્ર ટિકિટ વાળા, સુપર વાઇઝર જ નહીં પરંતુ પાલિકાના અધિકારી, પાલિકાના પદાધિકારી સહિતનાઓની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે




Latest News