મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

પશ્ચિમ બંગાળમાં પુલ તૂટ્યો ત્યારે બોલ્યા તેવું મોરબીમાં કેમ મોદી ન બોલ્યા ?, SC-HC ના સિટિંગ જજને તપાસ કરે તેવી માંગ: શક્તિસિંહ ગોહિલ


SHARE













પશ્ચિમ બંગાળમાં પુલ તૂટ્યો ત્યારે બોલ્યા તેવું મોરબીમાં કેમ મોદી ન બોલ્યા ?, SC-HC ના સિટિંગ જજને તપાસ કરે તેવી માંગ: શક્તિસિંહ ગોહિલ

મોરબીમાં જુલતો પુલ તૂટી ગયો છે જેથી કરીને કોંગ્રેસનાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે મોરબી આવ્યા હતા અને તેઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સ્વજન ગુમાવનાર તેમજ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજી હતી તેમાં તેઓએ ઝૂલતા ફૂલની ઘટનાની સુપ્રીમ કોર્ટે કે પછી હાઇકોર્ટના સિટિંગ જજની આગેવાની હેઠળ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને તમામ દોષીતોની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી આટલુ જ નહીં મોદીએ પશ્ચિમ બંગાળમાં પુલ તૂટ્યો ત્યારે જે સંબોધન કર્યું હતું તેનો વિડીયો બતાવીને આવા શબ્દો વડાપ્રધાને મોરબીમાં કેમ વાપર્યા નહીં તેવો અણીદાર સવાલ કર્યો હતો

મોરબીની મચ્છુ નદી ઉપર ૧૪૦ વર્ષ પહેલા બનાવવામાં આવેલ જુલતો પુલ છેલ્લા વર્ષોથી લાખો કરોડો લોકોને ત્યાં હરવા ફરવા માટેનું એક સ્થળ સમાન બની ગયો હતો જોકે આ જુલતો પુલ રવિવારની સાંજે ધડાકાભેર તૂટી પડ્યો ત્યારે ૧૩૫ લોકો માટે મોતનું કારણ અને અનેક લોકોને ઈજા પહોંચાડનાર બની ગયો છે તેના પાછળ જવાબદાર કોણ ? તે સૌથી મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે અને અને આટલું જ નહીં આ બનાવ બનવા પાછળ મુખ્ય કારણ ક્યું ? તે પણ સવાલ હાલમાં મોરબીમાં ચર્ચા રહ્યો છે ત્યારે કોંગ્રેસનાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે મોરબી આવ્યા હતા અને તેઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સ્વજન ગુમાવનાર તેમજ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેને ભાજપ સરકારને આડે હાથે લીધી હતી અને ઝૂલતા પૂલની ઘટનાની સુપ્રીમ કોર્ટે કે પછી હાઇકોર્ટના સિટિંગ જજની આગેવાની હેઠળ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને તમામ દોષીતોની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી તેમજ થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળમાં જે પુલ તૂટવાની ઘટના બની હતી ત્યારે નરેન્દ્ર મોદીએ જે શબ્દો વાપર્યા હતા તેવો વિડીયો બતાવીને કહ્યું હતું કે, આવું રાજકારણ ન કરવું જોઈએ તે દેશના વડાપ્રધાન  છે અને તેના માટે દરેક રાજ્યો એક સરખા જ હોવા જોઈએ અને આ બનાવમાં માત્ર ટિકિટ વાળા, સુપર વાઇઝર જ નહીં પરંતુ પાલિકાના અધિકારી, પાલિકાના પદાધિકારી સહિતનાઓની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે




Latest News